એએનઆઈએ એપીઆઈ સચિન વાજેની ધરપકડ કરી છે. તેમનું માનવું છે કે તે માસ્ટરમાઈન્ડ નથી પરંતુ સૂત્રોના જણાવ્યાનુંસાર તે એક નાનકડો ભાગ છે.
વાજે એક નાનકડો ભાગ છે
વાજે માસ્ટરમાઈન્ડ નથી
વાંરવાર ઈનોવાની નંબર પ્લેટ બદલવામાં આવી
વાજે માસ્ટરમાઈન્ડ નથી પરંતુ તે એક નાનકડો ભાગ છે
દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની નજીક વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો કારના મામલામાં જે અધિકારી સચિન વાજે પર તપાસની જવાબદારી હતી તે જ તપાસના ચક્રવ્યૂહમાં ફસાયા છે. એએનઆઈએ એપીઆઈ સચિન વાજેની ધરપકડ કરી છે. તેમનું માનવું છે કે તે માસ્ટરમાઈન્ડ નથી પરંતુ સૂત્રોના જણાવ્યાનુંસાર તે એક નાનકડો ભાગ છે.
ઈનોવા કારના એન્ટિલીયા કેસ સાથે શું સંબંધ છે?
સીસીટીવી ફુટેજ મુજબ 24 ફેબ્રુઆરીએ એક ઈનોવા કાર મુંબઈ પોલીસ કમિશનરની બહારથી નિકળી રહી હતી. જ્યારે બીજી ફુટેજ 13 માર્ચની છે. જ્યારે તે જ કાર કમિશ્નર ઓફિસથી નિકળી રહી છે. આ કાર પોલીસે કબ્જે કરી છે. પોલીસને શંકા છે કે 24 ફેબ્રુઆરીએ આ કાર કમિશ્નર ઓફિસથી નીકળી થાણે જઈ નંબર પ્લેટ બદલી 25 ફેબ્રુઆરી થાણેથી મુલુંદ ટોલ નાકા પાર કરી મુંબઈ આવી. બાદમાં કાર સ્કોર્પિયોની પાસે પહોંચ. બાદમાં બન્ને કાર એક સાથે મુકેશ અંબાણીના ઘરની બહાર પહોંચી. વિસ્ફોટકોથી ભરેલી કાર ત્યાં જ છોડી બન્ને ડ્રાઈવર ઈનોવામાં બેસી ફરાર થઈ ગયા.
વાંરવાર નંબર પ્લેટ બદલવામાં આવી
એ બાદ રાતે લગભગ 3 વાગ્યે ઈનોવા મુલુંદ ટોલ નાકુ પાર કરે છે. જ્યારે કાર નંબર અલગ હતો અને સવારે 4 વાગે મુલુંદ ટોલનાકા પાર કરી મુંબઈ પાછી આવે છે. ત્યારે તેનો નંબર અલગ થઈ જાય છે. પીપીઈ કિટ પહેરેલો ઈનોવા કારનો ડ્રાઈવર તે જગ્યાએ જાય છે. જ્યાં સ્કોર્પિયો કાર ઉભી હતી. સ્કોર્પિયોની તપાસ બાદ તે સવારે પાછો 5 વાગે મુલુંદ ટોલ પાર કરી થાણે જાય છે. વારંવાર ઈનોવાની નંબર પ્લેટ બદલવામાં આવે છે.
ક્રાઈમ ઈન્ટેલિજેન્સી યૂનિટની છે ઈનોવા કાર
કાર જ્યારે મુંબઈમાં પહેલીવાર આવી તો તે સમયે એક ફુટેજમાં એજન્સીને ગાડીની પાછળ નંબર પ્લેટની નીચે એક પ્લાસ્ટિક સ્ટિકર નજર આવે છે. એજન્સીને શંકા છે કે ડેન્ટ માર્ક છુપાવવા માટે લગાવવામાં આવ્યું હશે. આ કાર વાજે અને તેમની ટીમ વાપરતી હતી. ઘટના બાદ કારને પોલીસના જ મોટર ટાર્ન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં રિપેરિંગ માટે અપાઈ હતી. આ કેસમાં વાજેની સામે અનેક કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
ઘટનાનો માસ્ટરમાઈન્ડ કોણ?
એનઆઈએ સામે મોટો પડકાર એ છે કે વાજેના મોઢે માસ્ટરમાઈન્ડનું નામ ઉગલાવવાનું છે. વાજેના વકીલે બોમ્બે હાઈકોર્ટમાં અપીલ કરી છે. આ પહેલા એનઆઈએ કોર્ટમાં સચિન વાજેના વકીલે કહ્યું કે સમગ્ર મામલો શંકાના આધાર પર છે. એટલા માટે આ ધરપકડ ગેરકારયેસર છે. કેમ કે તેમની વિરુદ્ધ કોઈ પુરાવા નથી. જેના જવાબમાં એનઆઈએ કોર્ટમાં તપાસના કાગળો અને સીસીટીવીની જાણકારી આપી એક મોટા ષડયંત્ર હેઠળ રિમાન્ડની માંગ કરી છે.
NIAની રડામાં કેવી રીતે આવ્યા વાજે
આ ઘટનામાં સ્કોર્પિયોના માલિક તરીકે મનસુખ નામની વ્યક્તિનું નામ સામે આવ્યુ. જેની તપાસ વાજેને સોંપવામાં આવી. વાજેએ મનસુખની પુઠપરછ કરી અને બાદમાં તેમનું ડુબવાથી મોત થતા તેના પરિવારે આરોપ લગાવ્યો કે કાર વાજે અને તેમની ટીમની પાસે હતી. એનઆઈએને લાગે છે કે વાજે ફક્ત પ્યાદુ છે માસ્ટરમાઈન્ડ કોઈ બીજું છે. ત્યારે સવાલ એ છે કે શું આની પાછળ મોટા નેતાનો હાથ છે. શું આ રાજનીતિક ષડયંત્ર છે.