ગુજરાતમાં કોરોના દરમિયાન સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ વધુ એડમિશન લીધુ તો બીજી તરફ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે.
ગુજરાતમાં કોરોના દરમિયાન સરકારી શાળામાં વિદ્યાર્થીઓએ વધુ એડમિશન લીધુ છે તો તેની સામે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થિનીઓની નોંધણીમાં ઘટાડો થયો છે..રાજ્ય સરકારે ગુજરાતમાં દિકરીઓના શિક્ષણ અંગે મોટી વાતો કરવામાં આવે છે.. પરતું કોરોનાકાળમાં ગુજરાતમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે તેવો એક અહેવાલ સામે આવ્યો છે.. જેને લઈને કોંગ્રેસ પ્રવક્ત મનીષ દોશીને રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા..મનીષ દોશીએ ગુજરાતમાં દીકરીઓના શિક્ષણને લઈને સવાલ ઉઠાવ્યા હતા, તેમણે કહ્યું કે ગુજરાતમાં 6 હજાર ગ્રામ્ય વિસ્તારની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે, અસર ના રિપોર્ટ બાદ પણ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી યાત્રાઓ કરી રહ્યા છે, રિપોર્ટ બાદ પણ કોઇ કામગીરી કરવામાં આવી રહી નથી
એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટમાં થયો ખુલાસો
એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ માં શિક્ષણને લઈ અનેક બાબતો સામે આવી છે પરંતુ સૌથી વધુ ચિંતાજનક બાબત એ સામે આવી છે કે કોરોનાકાળ માં ગુજરાતમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો છે.. શિક્ષણ વ્યવસ્થા પર કામ કરતી અલગ-અલગ સંસ્થાઓ દ્વારા એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે.. જેમાં ગ્રામ્ય વિસ્તારના કેટલાક ગામોના ગ્રામજનોને આવરી લઈને સમગ્ર રિપોર્ટ તૈયાર કરાય છે..
સર્વેક્ષણમાં ગુજરાત 775 ગામના 8 હજાર 217 ઘરનો સમાવેશ
આ સર્વેક્ષણમાં ગુજરાતના 775 ગામોના 8,217 ઘરો અને 4,310 પરિવારોને આવરી લેવામાં આવ્યા હતા. સર્વેક્ષણના પરિણામો અનુસાર રોગચાળા દરમિયાન સરકારી શાળાઓમાં 6-14 વય જૂથના વિદ્યાર્થીઓની નોંધણીમાં વધારો નોંધાયો છે.. જો કે ચિંતાની વાત એ છે કે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી શાળામાં વિદ્યાર્થીઓની નોંધણીમાં 0.02 ટકા વધારો નોંધાયા પછી પણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીનીઓની નોંધણીમાં ઘટાડો નોંધાયો છે.
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર
વર્ષ 2018 માં 86.9 ટકા વિદ્યાર્થીનિઓની નોંધણી થઈ હતી જેની સરખામણીએ વર્ષ 2021 માં આ નોંધણી ઘટીને 83.9 ટકા થઈ ગઈ.. આ અંગે કોંગ્રેસ પ્રવકતા એ જણાવ્યું કે અગાઉ પણ ભારત સરકારનો જ રિપોર્ટ હતો કે ગુજરાતમાં 10 માંથી 6 દીકરીઓ ધોરણ 10 બાદ શાળાએ નથી જતી. ગુજરાતમાં 6 હજાર ગ્રામ્ય વિસ્તારની શાળાઓને તાળા મારી ગ્રામ્ય વિસ્તારનો દીકરીઓનો શિક્ષણનો અધિકાર છીંનવવામાં આવી રહ્યો છે.. અસરના રિપોર્ટ બાદ પણ શિક્ષણમંત્રી અને મુખ્યમંત્રી યાત્રાઓ કરી રહ્યા છે.. તેમના માં શરમ હોય તો દીકરીઓના અભ્યસ માટે પગલાં ભરે..ગ્રામ્ય વિસ્તારમાં બાળકીઓ શાળાએ જાય એ માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે,
દીકરીઓના શિક્ષણને લઇ ચિંતાજનક રિપોર્ટ સામે આવ્યો
જો કે કેટલાક સામાજિક અને સુવિધાના પ્રશ્નો ના કારણે પણ ડ્રોપ આઉટ સંખ્યામાં વધારો થયો છે. ગામડાઓમાં બાળકોઓના ડ્રોપ આઉટ વધવા પાછળ અનેક કારણો જવાબદાર છે જેમાં મુખ્ય કારણે શાળાઓમાં માળખાગત સુવિધાઓનો અભાવ માનવમાં આવે છે.. શાળામાં શૈચાલય, પાણી, સ્વચ્છતાનો અભાવ તેમાજ દીકરીઓને માસિક બાદ શાળામાં બાળકીઓ માટે અલગ વ્યવસ્થા ન હોવાથી ડ્રોપ આઉટમાં વધારો થયો છે..
ગુજરાતમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો
આ સિવાય અનેક ગામડાઓમાં 1 થી 5 ધોરણની શાળાઓ બાદ આગળના અભ્યાસ માટે બીજા ગામમાં જવું પડે તે માટે વાહન વ્યવહારની અપૂરતી સુવિધાઓ અને સલામતીની ચિંતા પણ એક કારણ માનવામાં આવે છે, સરકાર દીકરીઓની મામુલી ફી લઈને અભ્યસ માટે ઉત્સાહિત કરે છે.. આ સિવાય અલગ શિષ્યવૃતિ અને બીજા લાભો પણ આપે છે.. જો કે એન્યુઅલ સ્ટેટસ ઑફ એજ્યુકેશન રિપોર્ટમાં ચિંતાજનક બાબતો સામે આવી રહી છે જેમાં કોરોનાકાળમાં ગુજરાતમાં દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધ્યો હોવાનું સામે આવ્યું છે.