કોરોના વાયરસને દુનિયા અનેક દેશનો ઝપેટમાં લીધા છે. જેને લઇ ભીડભાડ વાળી જગ્યાએ જવા પર પ્રતિબંધ લગાવાયો છે. ત્યારે મોરારી બાપુના સાંનિધ્યમાં 14થી 22 માર્ચ, 2020 દરમિયાન રામપરા ખાતે રામકથા યોજાઇ રહી છે. આ કથા દરમિયાન કોરોનાને લઇ કથાકાર મોરારી બાપુએ લોકોને અપીલ કરી છે. કોરાના વાયરસથી સાવધાન રહેવા લોકોને અપીલ કરી છે.
કોરાના વાયરસ સામે સાવધાન રેહવા અપીલ કરી
મંડપ ઉતારીને હું તલગાજરડા જતો રહીશઃ મોરારી બાપુ
મોરારી બાપુની રામપરા ખાતે ચાલી રહી છે રામકથા
અમરેલીના રાજુલાના વૃંદાવનબાગમાં મોરારી બાપુની કથાનું આયોજન કરાયું હતુ. કથાને સંબોધતા મોરારિ બાપુએ કહ્યું કે મને લાગશે તો કથા બંધ કરી દઈશુ. મંડપ ઉતારીને હું તલગાજડા જતો રહીશ. કથામાં નહીં આવો તો ચાલશે પણ કોરોના વાયરસ સામે સાવધાન રહેજો. બાપુએ કહ્યું આપણે ડરીને મરવું નથી. મને પણ બધાના તનમનની ચિંતા છે. કેવલ રાષ્ટ્ર નહીં સમગ્ર વિશ્વની ચિંતા છે.
ચિત્રકુટ ધામે બહારના લોકોને કથામાં ન આવવા કર્યો અનુરોધ
રાજુલામાં મોરારી બાપુની કથાના આયોજનમાં પણ કોરોનાની આડઅસર જોવા મળી છે. આ અગાઉ તલગાજરડાના ચિત્રકુટધામે બહારના લોકોને કથામાં ન આવવા અનુરોધ કર્યો હતો. તેની જગ્યાએ કથા ટીવીમાં લાઈવ નિહાળવા અપીલ કરી હતી. મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય તો કોરોના વાયરસના ફેલાવાની શક્યતા વધી જાય છે. તેવામાં લોકો ઘરે બેસીને જ કથા સાંભળે તેવું ચિત્રકૂટધામનું માનવું છે.