દેશના ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસ સામે જંગ જીતી લીધી છે જેની જાણકારી દિલ્લી ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને આપી હતી. જે બાદ મંત્રાલય દ્વારા જાણકારી આપવામાં આવી કે તેમનો કોરોના ટેસ્ટ જ નથી થયો. બીજી ઓગસ્ટે અમિત શાહ કોરોના પોઝિટિવ થયા હતા જે બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે અમિત શાહે પોતે આ વાતની કોઈ જાણકારી આપી ન હતી પરંતુ મીડિયા અહેવાલ અને મનોજ તિવારીએ કરેલ ટ્વિટ અનુસાર દાવા કરી દેવાયા હતા કે તે હવે કોરોના નેગેટિવ થયા છે.
અમિત શાહે કોરોના વાયરસને આપી મ્હાત : મનોજ તિવારી
ભાજપના દિગ્ગજ નેતા મનોજ તિવારીએ ટ્વિટ કરીને ડિલીટ કરી નાખ્યું
મનોજ તિવારીએ દાવો કર્યો કે કેન્દ્રીય મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જે બાદ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી કે અમિત શાહ દાખલ થયા તે બાદ હજુ સુધી કોઈ ટેસ્ટ થયો નથી.
નોંધનીય છે કે બીજી ઓગસ્ટના રોજ અમિત શાહ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાની પુષ્ટિ થઇ હતી જે બાદથી તેઓ મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. શાહે તે સમયે ટ્વિટ કરીને કહ્યું હતું કે શરૂઆતના લક્ષણો જોવા મળતા તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને સેલ્ફ આઇસોલેટ થઇને પોતાનો કોરોના રિપોર્ટ કરાવી લેવા સૂચન કર્યું હતું.
નોંધનીય છે કે જ્યારથી દિલ્હીમાં અચાનક જ કોરોના વાયરસના કેસમાં વધારો થયો હતો ત્યારથી અમિત શાહ ખૂબ એક્ટિવ થઇ ગયા હતા. તાબડતોડ બેઠકોથી લઈને કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરાવી હતી. જે બાદ તેઓ પોતે પણ કોરોના પોઝિટિવ થયા હતા.