ભાજપે પોતાના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની જવાબદારી હવે જગત પ્રકાશ નડ્ડાના હાથમાં સોંપી છે. 2019માં ઉત્તરપ્રદેશની લોકસભા ચૂંટણીમાં ભાજપને શાનદાર જીત અપાવીને તેમણે પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હતી. તેમની આ ક્ષમતાને કારણે જ હવે ભાજપે તેમના હાથમાં રાષ્ટ્રીય પ્રમુખની બાગડોર સોંપી છે.
હવે નડ્ડા પર ભાજપની જવાબદારી
પણ 'શાહ' તો અમિતશાહ જ રહેશે
શાહે ભાજપને અપાવી નવી ઊંચાઈ
લગભગ છ વર્ષ સુધી ભાજપના અધ્યક્ષ રહેલા અમિત શાહે પાર્ટીનુ સુકાન હવે સંપૂર્ણ રીતે જેપી નડ્ડાના હાથમાં સોંપી દીધું છે.. જો કે ભલે અમિતશાહે અધ્યક્ષ પદ છોડી દીધું હોય પરંતુ ભાજપ પક્ષ પર અમિત શાહની છાપ `અમિટ' જ રહેશે.
રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ થયાં નડ્ડા
ભાજપે હવે જે પી નડ્ડાને કાર્યકારી અધ્યક્ષમાંથી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની સંપૂર્ણ જવાબદારી સોંપી દીધી છે. ગઈકાલે દિલ્હી ખાતેના ભાજપના મુખ્યકાર્યાલયે જે.પી. નડ્ડાને વિના વિરોધે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેદ્ર મોદી, અમિતશાહ, રાજનાથસિંહ જેવા ભાજપના અગ્રણીનેતાની હાજરીમાં જે.પી. નડ્ડાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. કહેવાય છે કે, અમિતશાહ હવે સરકારમાં પોતાના ગૃહવિભાગમાં વધારે ધ્યાન કેદ્રીયત કરી શકશે.
આપને જણાવી દઈએ કે છ વર્ષ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહીને અમિત શાહે ભાજપને સર્વોચ્ચ ઉંચાઈ પર પહોંચાડયો છે....અમિતશાહના નેતૃત્વમાં ભાજપે જે પ્રગતિ કરી છે તેણે રાજનીતિમાં મોટું આર્શ્ચ્ય સર્જ્યું છે. ભલે તેમણે નિયમ પ્રમાણે અધ્યક્ષ પદ છોડયું હોય પરંતુ ભાજપ પર તેમની છાપ લાંબા સમય સુધી જળવાયેલી રહેશે.
અમિત શાહને આ સફળતા કંઈ રાતોરાત મળી નથી
અમિતશાહને આ સફળતા કંઈ રાતોરાત મળી ગઈ નથી. આ માટે કઠોર પરિશ્રમ સાથે સાથે કઠોર નિર્ણયો વચ્ચે પણ તેમને ભીંસાવું પડયું છે...લાંબાગાળાના નિર્ણયોના અમલીકરણમાં ટૂંકાગાળાના નુકસાન પણ સહન કરવા પડયા છે.. એટલે જ તેઓ ભાજપના ચાણક્ય તરીકે લોકજીભે ચર્ચાતા રહે છે... ત્યારે આવો જાણીએ કે માત્ર ભાજપ જ નહીં વિપક્ષો પણ કેમ મનોમન અમિત શાહને ખરા `શાહ' ગણે છે.
આ માટે કહેવાયા ચાણક્ય
અમિતશાહે જે સમયે ભાજપનું સુકાન સંભાળ્યું હતું તે વખતે ભાજપ દિલ્લી અને બિહારની ચૂંટણી હારી ગયો હતો..પરંતુ અમિતશાહે નિરાશ થયા વિના જમીની સ્તરથી જે અભિયાન ઉપાડયું તેનો સાક્ષી દેશ બની ગયો. અમિતશાહે આવતાંની સાથે જ પાર્ટી કેડરમાં જીવનનો સંચાર કરી દીધો.
આપને જણાવી દઈએ કે, અમિત શાહે પક્ષનુ સુકાન સંભાળ્યા બાદ, સખત મહેનત કરીને જાણે દેશના અનેક રાજ્યોમાં પોતાની જીતનો અશ્વમેધ છૂટો મૂકી દીધો હતો.. અમિત શાહના કાર્યકાળમાં ભાજપે જે રાજ્યોમાં જીતનો પરચમ લહેરાવ્યો તે જીતની કથાઓ પર એક નજર નાખીએતો..
શાહની કાર્યશૈલી તેમના સ્વભાવને અનુરૂપ
અમિત શાહની કાર્યશૈલી તેમના સ્વભાવને અનુરૂપ છે. નિર્ણય કર્યા બાદ તેને સાચો ઠેરવવાનો તેમનો સ્વભાવ તેમને જંપ લેવા દેતો નથી. પાર્ટીને મજૂબત કરવા માટે અમિતશાહ દેશના તમામ પ્રદેશોમાં યાત્રા કરી ચૂક્યા છે. આ સિલસિલો હજુ પણ ચાલુ છે.
ભાજપના `શાહ' તરીકે હંમેશા લોકહૈયે જીવંત રાખશે
હાલમાં એનઆરસી પ્રસ્તાવ અંગેના તેમના નિવેદનના કારણે દેશના લઘુમતીઓમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ છે અને આંદોલનો પણ ચાલુ છે. જેના કારણે ઝારખંડમાં પાર્ટીને હાર મળી છે અને મહારાષ્ટ્રની સત્તા હાથમાંથી સરકી ગઈ છે. જો કે તેમ છતાં તેમણે છ વર્ષ સુધી ભાજપ પ્રમુખ તરીકે મેળવેલી સફળતા તેમને રાજનીતિના ચાણક્ય અને ભાજપના `શાહ' તરીકે હંમેશા લોકહૈયે જીવંત રાખશે.