અમિત શાહની અધ્યક્ષતામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય જમ્મૂ-કાશ્મીર સહિત દેશની જનતા સામે અલગાવવાદીઓના ચહેરાઓને બેનકાબ કરવાની યોજના બનાવી રહ્યું છે. ઘાટીમાં સ્કૂલના બાળકોને પથ્થરમારો કરાવતાં, આતંકીઓના મરવા પર સ્કૂલ સળગાવવા તેમજ હડતાળ કરી સ્કૂલ બંધ કરાવનારા અલગાવવાદીઓ પોતાના બાળકોને વિદેશમાં ભણાવી રહ્યાં છે.
હુર્રિયત નેતાઓ સહિત ઘાટીમાં 112 અલગાવવાદીઓ અને તેની સાથે સહાનૂભુતિ રાખનારાઓના ઓછામાં ઓછા અંદાજે 220 બાળકો વિદેશમાં ભણી રહ્યાં છે. કાશ્મીરીઓને કુર્બાનીનું આહ્વાન કરનારા અલગાવવાદીઓની આ હકીકત ઘાટીના અમૂક વર્ગને ખબર છે.
જો કે હવે એવું લાગી રહ્યું છે કે ગૃહ મંત્રાલય તેમની યોજના હેઠળ અલગાવવાદીઓની હકીકત બેનકાબ કરવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અલગાવવાદીઓ વિરુધ્ધ 'પોલ-ખોલ' અભિયાનની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં અલગાવવાદીઓના કરતૂતોને રજૂ કરવાના સંકેત આપ્યાં છે.
130 જેટલા હુર્રિયત નેતાઓની વિગતો સંસદમાં રજૂ કરવામાં આવશે. આ અલગાવવાદી નેતાઓ સ્કૂલના બાળકો પથ્થરમારા માટે ભડકાવે છે અને સ્કૂલ-કોલેજ જબરદસ્તીથી બંધ કરાવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે અશરફ સેહરાઇના બંને દિકરાઓ સાઉદી અરબમાં કામ કરે છે અને ત્યાં જ રહે છે.
હુર્રિયત નેતા મીરવાઇઝ ઉમર ફારકની બહેન રાબિયા એક ડોકટર છે અને તે અમેરિકામાં રહે છે. અલગાવવાદી મોહમ્મદ શફી રેશીનો દિકરો અમેરિકામાં પીએચડી કરી રહ્યો છે. મુસ્લિમ લીગ નેતા મહોમ્મદ યૂસુફ મીર અને ફારૂક ગફતૂરીની દિકરીઓ પાકિસ્તાનમાં મેડિકલનું ભણતર ભણે છે.