કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આસામના ત્રણ દિવસીય પ્રવાસે રવિવારે મોડી રાત્રે ગુવાહાટી પહોંચ્યા હતા. અહીં તેઓ અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેશે.
3 દિવસીય પ્રવાસે આસામ પહોંચ્યા અમિત શાહ
હેમંત બિસ્વ સરકારની પહેલી વર્ષગાંઠ કાર્યક્રમમાં લેશે ભાગ
ભારત-બાંગ્લાદેશ બોર્ડર પણ જશે અમિત શાહ
અમિત શાહ પોતાના આ પ્રવાસ દરમિયાન હેમંત બિસ્વ સરમાના નેતૃત્વવાળી રાજ્ય સરકારની પહેલી વર્ષગાંઠ સમારોહમાં ભાગ લેશે અને ભારત-બાંગ્લાદેશ બોર્ડર પણ જશે. રવિવાર મોડી રાત્રે ગુવાહાટી એરપોર્ટ પર સરમા અને પ્રદેશ ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓએ અમિત શાહનું સ્વાગત કર્યું.
સરમાએ ટ્વિટ કર્યું કે આદરણીય ગૃહમંત્રી અમિત શાહને LGBI એરપોર્ટ ગુવાહાટી પર સ્વાગત કરવાનો મોકો મળ્યો. ગૃહમંત્રી આગામી 2 દિવસ દરમિયાન આસામમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લેશે.
Honoured to receive Adarniya HM Shri @AmitShah ji at LGBI Airport, Guwahati.
Adarniya Griha Mantri ji will attend several events over next two days in Assam.
We’ve always been blessed by the generous guidance of Hon HM. Looking forward to his precious margdarshan.@HMOIndiapic.twitter.com/ph8u9Cr4l3
ગૃહમંત્રી આજે BSFની મનકાચર બોર્ડર ચોકીની મુલાકાત લેશે અને ત્યાં તૈનાત અધિકારીઓ સાથે વાતચીત કરશે. તેઓ તામૂલપુર જિલ્લાના કેલેંચીમાં કેન્દ્રીય સશસ્ત્ર અર્દ્ધસેન્ય દળ(CRPF) માટે CENQOSTO- દ્વિતીય(કેન્દ્રીય કાર્યશાળા અને સ્ટોર)નું ઉદ્ઘાટન કરશે અને અહીં આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે.
બાદમાં તેઓ કામરૂપ જિલ્લાના અમિનગામમાં જનગણના કાર્યાલય અને ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સુપર સ્પેશલિટી કાર્ડિયોથોરેસિક એન્ડ ન્યૂરોસાયન્સેજ સેન્ટરનું ઉદ્ઘાટન કરશે.