રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીના ગેરવર્તનને લઇને કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના સાશનમાં પ્રજાના મતે ચૂંટાયેલ તેમના સભ્યો બેફામ બન્યા છે. બલરામ થાવાણી પર ભાજપ કે સરકારે કઈ જ પગલાં ભર્યા નથી ત્યા અન્ય નેતાઓ પણ બેફામ બન્યા છે. રાજકોટમાં એન્કરને ભાજપના ધારાસભ્ય રૈયાણીએ જાહેરમાં અપશબ્દો કહ્યા હતા. સમગ્ર ગુજરાતની મહિલાઓ ભાજપના નેતાઓથી ત્રસ્ત છે. ત્યારે આ મામલે મુખ્યમંત્રી શા માંટે ચૂપ છે ?