કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકી છે. વતન તરફ નિકળેલા લોકોને વ્હારે પોલીસ આવી છે. કારખાના બંધ થતા શ્રમિકો વતન તરફ જવા નિકળ્યા છે. જેને લઇને પોલીસે લોકો માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા કરી છે. અમદાવાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે લોકોને એકત્ર કરાયા હતા, શ્રમિકોને રતનપુર બોર્ડર સુધી પોલીસ પહોંચાડશે. પોલીસે શ્રમિકો માટે જમવાની પણ વ્યવસ્થા કરી.