US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ કહ્યું કે, ભારતને તેની વિદેશ નીતિમાં રશિયાના ઝુકાવને ખતમ કરવામાં લાંબો સમય લાગશે
રશિયા પાસેથી તેલ ખરીદવાનો ભારતના નિર્ણય બાદ હવે અમેરિકાની પ્રતિક્રિયા
મારું કામ કોઈ અન્ય દેશની વિદેશ નીતિ પર વાત કરવાનું નથી: US સ્ટેટ ડિપાર્ટમેન્ટ પ્રવક્તા
ભારતને વિદેશનીતિમાં રશિયાના ઝુકાવને ખતમ કરવામાં લાંબો સમય લાગશે: US સ્ટેટ ડિપાર્ટમેન્ટ પ્રવક્તા
યુક્રેન પર હુમલા બાદ અમેરિકા અને યુરોપના તમામ આર્થિક પ્રતિબંધો છતાં રશિયા પાસેથી તેલ ખરીદવાનો ભારતના નિર્ણય બાદ હવે વિદેશ મંત્રી એસ. જયશંકરના નિવેદન બાદ અમેરિકાની પ્રતિક્રિયા સામે આવી છે.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે કહ્યું છે કે, ભારતને તેની વિદેશ નીતિમાં રશિયાના ઝુકાવને ખતમ કરવામાં લાંબો સમય લાગશે. તે કઈ એક સ્વીચ દબાવવા જેવું આસાન નથી.
શું કહ્યું યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ ?
રશિયાથી ક્રૂડ ઓઈલ અને ફર્ટિલાઈઝરની આયાતમાં ભારતની વૃદ્ધિ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્ન પર નેડ પ્રાઈસની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે, મારું કામ કોઈ અન્ય દેશની વિદેશ નીતિ પર વાત કરવાનું નથી. પરંતુ અમે ભારત પાસેથી જે સાંભળ્યું છે, અમે તેના વિશે વાત કરી શકીએ છીએ. અમે વિશ્વભરના દેશોને યુક્રેન પર રશિયાના હુમલા વિરુદ્ધ યુએન જનરલ એસેમ્બલીમાં તેમના મત સહિત ઘણી બાબતો પર નિખાલસતાથી બોલતા જોયા છે.
US @StateDeptSpox on India increasing oil imports from Russia
"this is not flipping a light switch... relationships that, as is the case with India, extend back decades, it is going to be a long-term proposition to reorient foreign policy away from Russia" https://t.co/mbBzViszO8pic.twitter.com/yrityDYz2v
આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, અમે તે પણ સમજીએ છીએ અને મેં થોડા સમય પહેલા કહ્યું હતું તેમ, આ બટન દબાવવાની વાત નથી, ખાસ કરીને એવા દેશો સાથે કે જેઓ રશિયા સાથે ઐતિહાસિક સંબંધો ધરાવે છે. ભારતના કિસ્સામાં પણ આવું જ છે, રશિયા સાથે તેમના દાયકાઓ જૂના સંબંધો છે. ભારતને તેની વિદેશ નીતિમાં રશિયા તરફના તેના ઝુકાવને દૂર કરવામાં ઘણો સમય લાગશે.
"We recognise that there are countries around the world – well, every country around the world is going to make its own sovereign decisions based on its own assessment of its interests and its values" pic.twitter.com/0aBujZ790j
તમને જણાવી દઈએ કે, 24 ફેબ્રુઆરીએ રશિયાના હુમલા બાદ યુએસ અને યુરોપિયન દેશોએ યુક્રેન પર કડક આર્થિક પ્રતિબંધો લગાવ્યા હતા. પશ્ચિમી દેશોના દબાણ છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાતમાં વધારો કર્યો હતો. આ તરફ મે મહિનામાં રશિયાએ સાઉદી અરેબિયાને પછાડીને ભારતને બીજા નંબરનો સૌથી મોટો તેલ નિકાસકાર બનાવ્યો. આ મામલે ઈરાક પ્રથમ સ્થાને છે. ભારતીય ઓઈલ કંપનીઓને રશિયન ક્રૂડ ઓઈલ ભારે ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. ભારતીય ઓઈલ કંપનીઓએ મે મહિનામાં રશિયા પાસેથી લગભગ 2.5 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે શું કહ્યું હતું ?
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે મંગળવારે કહ્યું હતું કે, રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાનો ભારતનો નિર્ણય રક્ષણાત્મક નથી. અમેરિકા અને અન્ય દેશોને સમજાયું છે કે, તેમના દેશના લોકો માટે શ્રેષ્ઠ સોદો કરવાની સરકારની નૈતિક ફરજ છે. તેમણે કહ્યું હતું કે, અમે અમારા હિતોને લઈને એકદમ સ્પષ્ટ છીએ. મારા દેશની માથાદીઠ આવક 2000 ડોલર છે. આ લોકો મોંઘું તેલ ખરીદી શકતા નથી. તેથી મારી નૈતિક ફરજ છે કે, હું તેમના માટે શ્રેષ્ઠ સોદો મેળવી શકું તે સુનિશ્ચિત કરું.