IPL 2023 ની ફાઈનલ મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ રહી છે. પરંતુ આ પહેલા ચેન્નાઈ ટીમના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ એક મોટી જાહેરાત કરી છે. તેણે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે.
ચેન્નાઈ ટીમના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
IPL 2023 ની ફાઈનલ મેચ આજે ચેન્નાઈ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે
આ ફાઈનલ મેચ ચેન્નાઈના ખેલાડી અંબાતી રાયડુની IPL ની છેલ્લી મેચ હશે
IPL 2023 ની ફાઈનલ મેચ આજે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાઈ રહી છે. પરંતુ આ પહેલા ચેન્નાઈ ટીમના સ્ટાર ખેલાડી અંબાતી રાયડુએ એક મોટી જાહેરાત કરી છે. તેણે IPLમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. આ ફાઈનલ મેચ તેની છેલ્લી મેચ હશે. રાયડુએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે પોસ્ટમાં લખ્યું, 'બે મહાન ટીમો મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે રમ્યો. 204 મેચ, 14 સીઝન, 11 પ્લેઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી. આજે રાત્રે છઠ્ઠી જીતની આશા છે. અંબાતી રાયડુ પણ 5 વખત IPL ટાઈટલ જીતનારી ટીમનો ભાગ રહી ચૂક્યો છે. તેણે 2013, 2015 અને 2017માં મુંબઈ ઈન્ડિયન્સ માટે ખિતાબ જીત્યો હતો. જ્યારે ચેન્નાઈની ટીમે 2018 અને 2021 IPL સિઝનમાં ટાઈટલ જીત્યું હતું, ત્યારે રાયડુ પણ આ ટીમનો ભાગ હતો.
Tonight's final will be my last IPL game: Ambati Rayudu #IPL
37 વર્ષીય રાયડુએ આગળ લખ્યું, 'આ લાંબી મુસાફરી રહી છે. મેં નક્કી કર્યું છે કે આજની રાતની ફાઈનલ આઈપીએલમાં મારી છેલ્લી મેચ હશે. મને આ શાનદાર ટુર્નામેન્ટ રમવાની ખરેખર મજા આવી. આપ સૌનો આભાર. નો યુ ટર્ન.'
2 great teams mi nd csk,204 matches,14 seasons,11 playoffs,8 finals,5 trophies.hopefully 6th tonight. It’s been quite a journey.I have decided that tonight’s final is going to be my last game in the Ipl.i truly hav enjoyed playing this great tournament.Thank u all. No u turn 😂🙏
અંબાતી રાયડુએ આજની ફાઈનલ મેચ સુધી આઈપીએલની 203 મેચોમાં ભાગ લીધો છે. આ દરમિયાન રાયડુએ 28.29ની એવરેજથી 4320 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 22 અડધી સદી અને 1 સદી ફટકારી હતી. જોકે આઈપીએલ 2023ની સિઝન રાયડ માટે કંઈ ખાસ રહી નથી અને તે 15 મેચમાં 15.44ની એવરેજથી માત્ર 139 રન જ બનાવી શક્યો છે. IPL 2023 માં અંબાતી રાયડુનો મોટાભાગની મેચોમાં પ્રભાવશાળી ખેલાડી તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે.