તારીખ 15, 17 અને 22માં કયા પડશે વરસાદ ? કયો પાક ખેડૂતને તારશેથી લઈને કઈ તારીખ પછીનો વરસાદ પાકને મારશે તેની આગાહી અંબાલાલે કરી છે
ગુજરાતમાં કયા સુધી વરસાદ પડશે?
મઘા નક્ષત્રમાં મેઘો મનમૂકીને વરસસે: અંબાલાલ
ખેડૂતનો કયો પાક બગડી શકે?
છેલ્લા 3 દિવસથી વરસાદ ખાસ કરીને સૌરાષ્ટ્રને ઘમરોળી રહ્યો છે. ગુજરાતના અન્ય જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખગોળશાસ્ત્રી અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તારીખ 15, 17 અને 22માં સારો વરસાદ રહેવાનું અનુમાન લગાવતા અંબાલાલ પટેલે ઉત્તર ગુજરાત માટે વધુ વરસાદની આશા બંધાવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના દક્ષિણ, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં સારો વરસાદ તો ઉત્તર-મધ્ય ગુજરાત ઉપરાંત કચ્છ અને સુરેન્દ્રનગરમાં મધ્યમ વરસાદ પાડવાની આગાહી કરી છે. વધુમાં તેમણે આગાહી કરતાં કહ્યું છે કે અરબ સાગરનું જોઈએ તે રીતે સક્રિય વહન કરી રહ્યું ન હતું પણ જોકે હવે પહેલા કરતાં સક્રિયતા વધતાં વરસાદ સાર્વત્રિક રહેશે તેવુ ભવિષ્ય ભાખ્યૂ હતું.
કયા વિસ્તારોમાં સારો વરસાદ રહેશે?
જાણીતા ખગોળ શાસ્ત્રી અંબાલાલે નક્ષત્ર જોઈ કરેલી આગાહીમાં રાજ્યમાં આ ચોમાસામા 98% વરસાદ રહેશે તેવું અનુમાન લગાવ્યું છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, બેચરાજી, પંચમહાલ તેમજ ઊતર ગુજરાતમાં સમી, હારીજ, કડી,સિદ્વપુર, પાલનપુર અને અંબાજીના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખેડૂતનો કયો પાક બગડી શકે
25 ઓકટોબર પછીનો વરસાદ થતાં કપાસની રૂની ક્વોલિટી બગાડશે તેવી પણ આગાહી કરી છે સાથે જ ભાલ વિસ્તાર અથવા બિન પિયત ખેતરોમાં ચણા અને ઘઉં સારા થવાની પણ સંભાવના સેવી છે. તો તેલીબિયા પાકોમાં રાયડો સૌથી સારો થવાની વાત કરી હતી. સાથે જ મઘા નક્ષત્ર વિષે માહિતી આપતા કહ્યું હતું કે આ નક્ષત્રમાં વરસાદ સારો રહે છે તેમજ મઘામાં થયેલો વરસાદ પાક માટે વધુ સારો છે અને ઉત્તરા ફાલ્ગુનીમાં વાવેતર કરવું યોગ્ય ગણાવ્યુ છે બીજી તરફ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં જે વરસાદ આવશે તે 13 સપ્ટેમ્બર આસપાસ થવાની પણ આગાહી કરી છે. ઓક્ટોબર પછી જે વરસાદ થાય છે તેને સ્વાતિ કહેવામાં આવે છે જેમાં કપાસના માલને ખૂબ નુકસાન થાય છે.