આ વર્ષે અમરનાથ યાત્રાની શરૂઆત 1 જુલાઇથી બંને માર્ગ પર એક સાથે થવાની છે. બાબા બર્ફાનીના દર્શકો માટે રજિસ્ટ્રેશનની શરૂઆત 1 એપ્રિલથી શરૂ થઇ ચૂક્યું છે.
આતંકવાદના વધતા ત્રાસથી અમરનાથ યાત્રા માટે નોંધણી કરવી ફરજિયાત થઇ ગઇ છે. આ વર્ષે અમરનાથ યાત્રાની શરૂઆત 1 જુલાઇથી બંને માર્ગો પર એક સાથે થશે.
સૌથી પહેલા તમને જણાવી દઇએ કે અહીંયા નોંધણી 'પહેલા આવો પહેલા મેળવો'ના આધાર પર કરવામાં આવશે. આ નોંધણી ફોર્મ મેળવવા માટે તમારે તમારી અરજીની સાથે એક ફિટનેસ સર્ટિફિકેશન પણ લગાવવું જરૂરી છે.
એક યાત્રા પરમિટ માત્ર એક યાત્રી નોંધણી માટે માન્ય હશે.
અમરનાથ યાત્રા આશરે 46 દિવસની હશે. જેના માટે યાત્રીઓ પાસે પરમિટ હોવી જરૂરી હોય છે. આ પરમિટ એક નિશ્વિત દિવસે અને માર્ગ માટે કાયદેસર હોય છે. પરમિશન લગર કોઇ પણ યાત્રી યાત્રા કરી શકે નહીં.
અમરનાથ યાત્રાથી આશરે 1 મહિના પહેલા યાત્રાના ઇચ્છુક શ્રદ્ધાળુઓની યાત્રા માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે. ત્યારબાદ જ યાત્રીઓને યાત્રા માટે પરમિટ જારી કરવામાં આવે છે.
રજિસટ્રેશન બાદ પરમિટ જારી કરવામાં આવે છે. ઑનલાઇન નોંધણીની સુવિધા દરરોજ 500 ઇચ્છુક યાત્રીઓ માટે હશે. આ બંને માર્ગો પહેલગામથી 250 યાત્રીઓ અને બાલતાલથી 250 યાત્રીઓ માટે ઉપલબ્ધ હશે.
યાત્રા દરમિયાન નોઁધણીથી સંબંધિત કાગળ અને આઇડી પ્રૂફ વગેરે હંમેશા તમારી પાસે રાખો.