ઇન્ડિયા ગેટ પર હવે અમર જવાન જ્યોત નહી જોવા મળે. તેને નેશનલ વૉર મેમોરિયલની જ્યોતમાં વિલય કરવામાં આવી
અમર જવાન જ્યોત વિલય કરવામાં આવી
પાકિસ્તાન સાથે યુદ્ધના 50 વર્ષ થયા પૂર્ણ
રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં જ્યોતિ કરવામાં આવી વિલય
ઇન્ડિયા ગેટ પર હવે અમર જવાન જ્યોત નહી જોવા મળે. તેને નેશનલ વૉર મેમોરિયલની જ્યોતમાં વિલય કરવામાં આવી છે. એર માર્શલ બાલભદ્ર રાધાકૃષ્ણની અધ્યક્ષતામાં સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. પાકિસ્તાન સાથે 1971માં યુદ્ધના 50 વર્ષ પુરા થવાના અવસર અમર જવાન જ્યોતને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં વિલય કરવામાં આવી છે. મહત્વનુ છે કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં અત્યાર સુધીમાં યુદ્ધ અને સૈન્ય ઓપરેશન્સમાં શહીદ થયેલા લગભગ 26 હજાર જવાનોના નામ અંકિત કરેલા છે.
#WATCH | Delhi: Amar Jawan Jyoti flame at India Gate merged with the flame at the National War Memorial. pic.twitter.com/Nd1dnfvWYW
અમર જવાન જ્યોતિની જ્યોતને રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકમાં વિલીન કરવાના નિર્ણય પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું, "ખૂબ જ દુઃખની વાત છે. આપણા વીર જવાનો માટે અમર જ્યોત જલાવવામાં આવી હતી આજે તેને બુઝાવવામાં આવી રહી છે. કેટલાક લોકો દેશપ્રેમ અને બલિદાનને સમજી નથી રહ્યા. કોઇ વાંધો નહી, અમે આપણા સૈનિકો માટે ફરી એકવાર અમર જવાન જ્યોતને પ્રજવલિત કરીશું.
बहुत दुख की बात है कि हमारे वीर जवानों के लिए जो अमर ज्योति जलती थी, उसे आज बुझा दिया जाएगा।
कुछ लोग देशप्रेम व बलिदान नहीं समझ सकते- कोई बात नहीं…
हम अपने सैनिकों के लिए अमर जवान ज्योति एक बार फिर जलाएँगे!
કેન્દ્ર સરકારનું કહેવું છે કે તે અમર જવાન જ્યોતિને ઓલવવામાં આવી રહી નથી, પરંતુ તેને થોડે દૂર બનાવવામાં આવેલા નેશનલ વોર મેમોરિયલની જ્વાળાઓમાં ભેળવી દેવામાં આવી છે. કેન્દ્રનું કહેવું છે કે અમર જવાન જ્યોતિના સ્મારક પર 1971 અને અન્ય યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, પરંતુ તેમના નામ નથી. ઈન્ડિયા ગેટ પર પ્રથમ વિશ્વયુદ્ધ અને એંગ્લો-અફઘાન યુદ્ધમાં અંગ્રેજો માટે લડનારા માત્ર થોડા શહીદોના નામ છે. તે આપણા વસાહતી ભૂતકાળનું પ્રતીક છે.
'7 વર્ષ સુધી ક્યાં ગયા હતા '
જ્યોતને વિલય કરવા બાબતે કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને સરકારે જવાબ આપતા જણાવ્યુ કે 1971 અને તેની પહેલા તથા તેના પછી થયેલા યુદ્ધો સહિત તમામ યુદ્ધમાં ભારતીય શહીદોના નામ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર અંકિત કરવામાં આવ્યા છે. એટલે અહીંયા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગણાશે. પરંતુ મુશ્કેલી એ છે કે જેમણે 7 દાયકા સુધી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ન બનાવ્યું, તેઓ હવે શહીદોને કાયમી અને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે હોબાળો મચાવી રહ્યા છે.
ઈન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા સ્થાપિત કરાશે
અમર જવાન જ્યોતિ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેતાજી સુભાશચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, "એવા સમયે જ્યારે સમગ્ર રાષ્ટ્ર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે, મને શેર કરતા આનંદ થાય છે કે નેતાજીની ભવ્ય ગ્રેનાઈટ પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતની કૃતજ્ઞતાનું પ્રતીક હશે
At a time when the entire nation is marking the 125th birth anniversary of Netaji Subhas Chandra Bose, I am glad to share that his grand statue, made of granite, will be installed at India Gate. This would be a symbol of India’s indebtedness to him. pic.twitter.com/dafCbxFclK
Till the grand statue of Netaji Bose is completed, a hologram statue of his would be present at the same place. I will unveil the hologram statue on 23rd January, Netaji’s birth anniversary. pic.twitter.com/jsxFJwEkSJ