કેટલાક લોકો હંમેશા થાક જ ફીલ કરતા હોય છે અને તેમને દરેક સમયે ઉંઘ જ આવતી હોય છે તેની પાછળ એક બિમારી છે.
હંમેશા થાક લાગે છે તો રાખો ધ્યાન
ઉંઘ પૂરી ન થતી હોય તો થઇ શકે બિમારી
બ્લડ શુગરને રાખો હંમેશા કંટ્રોલમાં
રાત્રે ઉંઘ ન લેવી
આવું ફીલ થવા પાછળનું પહેલુ કારણ છે કે રાત્રે ઉંઘ વ્યવસ્થિત ન લેતા હોય. આ કારણે તમારુ સ્વાસ્થ્ય સારુ ન રહે. ઓછામાં ઓછી 7થી 8 કલાકની ઉંઘ લેવી જરૂરી છે. દિનચર્યામાં ઉંઘને પહેલી પ્રાથમિકતા આપો. સૂતા પહેલા લેપટોપ, ટીવી, ફોન બધુ બંધ કરી દો.
સ્લીપ એપનીયા
સ્લીપ એપનીયાના કારણે લોકોની ઉંઘ પૂરી નથી થઇ શકતી. આ એક એવી પ્રોબ્લેમ છે જેમાં અચાનક શ્વાસ ન લેવાય અને તેના કારણે એક ઝટકામાં ઉંઘ ઉડી જાય છે. આડધી ઉંઘમાં હોવાને કારણે લોકોને આ બિમારીની ખબર પણ પડતી નથી. તેના કારણે 8 કલાક પથારીમાં હોવા છતાં ઉંઘ પૂરી થતી નથી.
વ્યવસ્થિત ન જમવુ
ઓછુ અને ખરાબ ખાન પાનના કારણે પણ હંમેશા થાક ફીલ થાય છે. પેટ ન ભરાવવાને કારણે બ્લડ શુગર ઓછુ થઇ જાય છે અને સુસ્તી લાગે છે. સંતુલિત ડાયટ લેવાથી બ્લડ શુગરનું સ્તર સામાન્ય રહે છે.
એનીમિયા
મહિલાઓમાં થાકનું મુખ્ય કારણ એનીમિયા જ હોય છે. પિરીયડ્સના કારણે મહિલાઓમાં આયરનની ઉણપ સર્જાય છે. તેમના અંગોમાં ઓક્સિજન પહોંચે તેના માટે લાલ રક્તકોશિકાઓની જરૂર હોય છે. તેની ઉણપ પૂરવા માટે આયરનવાળા ફળ ખાઓ.
ડિપ્રેશન
સામાન્ય રીતે લોકોને લાગે છે કે ડિપ્રેશન એક માનસિક બિમારી છે પરંતુ તેનો અસર શારીરિક સ્વરૂપે પણ પડે છે. તેના કારણે થાક, માથાનો દુઃખાવો અને ભૂખ ન લાગવી તેવું થઇ શકે છે.