ભોજનમાં લીંબુનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. જમ્યા બાદ ખોરાક પચાવવામાં તો મદદ કરે છે પણ તેની સાથે આ બિમારીઓથી પણ દૂર રાખે છે.
લીંબુથી થતાં ફાયદા
લીંબુના સેવનથી દૂર થતી બીમારીઓ
આપણાં ભોજનમાં લીંબુનો ઉપયોગ
ભોજનમાં લીંબુના ઉપયોગથી થતાં ફાયદાઓ: આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે આપણાં દાદી-નાની આપણાં ભોજનમાં લીંબુનો ઉપયોગ કરતાં. તેઓ લીંબુનો ઉપયોગ ખાલી ભોજનને સ્વાદિષ્ટ બનાવવા જ નહિ પણ સ્વાથ્યને ધ્યાનમાં રાખીને કરતાં. લીંબુને જ્યારે આપણાં ભોજનમાં ઉમેરવામાં આવે છે ત્યારે સૌથી પેલા વિટામીન C મળે છે. ત્યારબાદ આપણાં શરીરમાં રહેલા સ્ટાર્ચને બહાર કાઢે છે અને સુગર ઇન્ટેકને ઓછું કરવામાં મદદ કરે છે. લીંબુનું સેવન હાઇ કોલેસ્ટ્રોલ અને ખરાબ બ્લડ સર્કુલેશનની સમસ્યામાં પણ મદદરુપ થાય છે. આજ રીતે ભોજનમાં લીંબુનો ઉપયોગ ઘણી બીમારીયોથી બચાવે છે. ચાલો જાણીએ.
ભોજનમાં લીંબુથી થતાં ફાયદાઓ-
1. લોહી સાફ કરવાનું કામ કરે છે
લીંબુના રસનું સેવન આપણાં શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થોને બહાર નિકાળવામાં મદદ કરે છે, આ રીતે શરીરની સફાઇમાં મદદરુપ થાય છે. સાઈટ્રિક એસિડ અને વિટામિન C ની અંદર ક્લીનજીંગ ગુણ હોય છે. જે તમારા શરીરમાંથી ટોક્સિનને બહાર નિકાળવામાં મદદ કરે છે. સાથે એના એન્ટીઑકિસડન્ટ પણ ટોક્સિકને લોહી અને પરસેવા દ્વારા બહાર નિકાળવામાં મદદ કરે છે.
2. પથરીની બિમારીમાં ફાયદાકારક
લીંબુનો રસ કિડનીમાં પથરીની ગાંઠને વધતી રોકવામાં મદદરુપ થાય છે. લીંબુની પ્રકૃતિ ક્ષારીય હોય છે જેના લીધે લાઈમોનીન પથરીની બીમારીને ઓછી કરવામાં મદદરુપ થાય છે. આનું સાઈટ્રિક એસિડ પથરીને ઓગાળવામાં અને બહાર કાઢવામાં મદદ કરે છે. લાંબા સમય સુધી આ બીમારીમાં મદદરુપ થાય છે.
3. ડાયાબિટીસમાં ફાયદાકારક
ડાયાબિટીસ એક ખરાબ મેટાબોલિસમથી થતી બીમારી છે. ડાયાબિટીસની બિમારીમાં ભોજનથી નીકળવાવાળું સ્ટાર્ચ શુગર લેવલને વધારે છે. આવામાં જો તમે તમારા ભોજનમાં લીંબુનો ઉપયોગ કરો છો ત્યારે આ તમારા સ્ટાર્ચને બહાર કાઢે છે અને શુગર સ્પાઈકને રોકે છે. આવી રીતે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરુપ થાય છે.
4. એસિડિટી અને કબજિયાતથી બચાવમાં મદદરૂપ
લીંબુની ખાસવાત એ કે તે પાચનતંત્રને મજબૂત કરે છે. આનાથી પેટનું મેટાબોલિસમ રેટ વધી જાય છે અને જમવાનું જલ્દી પાચન થઈ જાય છે. જ્યારે તમે જમવામાં લીંબુનો ઉપયોગ કરો છો ત્યારે તે તમારા પાંચનની ગતિને વધારી દે છે. બીજું એ કે તે લૈક્સટેસિવનું કામ કરે છે જેથી તમારું પેટ સાફ કરવામાં મદદરુપ થાય છે. જેથી લોકોને કબજિયાતની સમસ્યા થતી નથી. એટલા માટે તમારે ભોજનમાં લીંબુનો ઉપયોગ કરવો જ જોઈએ.