જમ્મુ કાશ્મીરના બડગામના વોટરશેલ વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર લતીફ રાથેર સહિત ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે.
જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે
કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં પણ સામેલ
લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓની હત્યા
જમ્મુ કાશ્મીરના બડગામના વોટરશેલ વિસ્તારમાં આતંકીઓ સાથેની અથડામણમાં લશ્કર-એ-તૈયબાના કમાન્ડર લતીફ રાથેર સહિત ત્રણ આતંકીઓ ઠાર મરાયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે કહ્યું છે કે, મૃતદેહોને ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આતંકીઓ પાસેથી ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. પોલીસે લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકીઓની હત્યાને મોટી સફળતા ગણાવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, જે ત્રણ આતંકી માર્યા ગયા છે તેમાંથી એક આતંકી મે મહિનામાં કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં પણ સામેલ હતો.
ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા
કાશ્મીરના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિજય કુમારે જણાવ્યું હતું કે, આજે બડગામમાં માર્યા ગયેલા લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓમાં લતીફ રાથેર ઉર્ફે ઓસામાનો પણ સમાવેશ થાય છે. આ પહેલા બુધવારે સવારે એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ ત્યાં આતંકવાદીઓની હાજરીની માહિતી બાદ જિલ્લાના ખાનસાહિબ વિસ્તારમાં વોટરશેલમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
#UPDATE | Budgam encounter: All the three hiding LeT terrorists neutralised. Bodies being retrieved from the site, but identification is yet to be done. Incriminating materials, arms & ammunition recovered: ADGP Kashmir https://t.co/Nj0Mb4M64X
ઓફિસની અંદર રાહુલ ભટની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી
રાહુલ ભટ્ટની 12 મેના રોજ જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લાના ચદૂરા શહેરમાં તેમની તહસીલ કચેરીની અંદર આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી. તેમને શરણાર્થીઓ માટે વિશેષ રોજગાર પેકેજ હેઠળ કારકુનની નોકરી મળી. થોડા દિવસો બાદ, લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓએ બડગામ જિલ્લાના ચદૂરામાં ટીવી અભિનેત્રી અમરીન ભટની તેના ઘરે ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
રાહુલ ભટની હત્યાને લઈને વિરોધ ફાટી નીકળ્યો
કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમુદાયના લોકોની 'ટાર્ગેટ કિલિંગ' આ વર્ષે મે મહિનામાં શરૂ થઈ હતી. રાહુલ ભટની હત્યા બાદ વડાપ્રધાન પેકેજ-યર 2012 હેઠળ કામ કરતા ડઝનબંધ કાશ્મીરી પંડિતોએ વિરોધ કર્યો હતો અને સામૂહિક હિજરતની ધમકી આપી હતી. ભટની હત્યાને કારણે અનેક સ્થળોએ આશરે 6000 કાશ્મીરી પંડિત કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. તેઓએ માંગ કરી હતી કે તેઓને ખીણની બહાર સ્થાનાંતરિત કરવામાં આવે.