14 ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં CRPFના જવાનો પર થયેલા આંતકી એટેકથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે.આ હુમલામાં CRPFના 44 જવાનો શહીદ થયા છે. આતંકીઓની આ કાયર હરકતના કારણે દેશવાસીઓ સહિત ફિલ્મી કલાકારો પણ ગમના માહોલમાં છે.
CRPFના જવાનો પર થયેલા હુમલાની જાણ થતા જ સોશ્યલ મીડિયા દ્વારા બોલિવુડ સેલેબ્સ શહીદના પરિવારે માટે સંવેદના વ્યકત કરી છે. જેમાં શાહરૂખ ખાન સલમાન ખાન અક્ષય કુમાર અમિતાભ બચ્ચન અનુષ્કા શર્મા વિક્કી કૌશલ પ્રિયંકા ચોપરા શાહિદ કપૂર જાહ્નવી કપૂર જેવા કલાકારો પણ શામેલ છે.
To all those who are keen to contribute to #BharatKeVeer and have been facing technical glitches rest assured that @HMOIndia is taking adequate corrective steps. https://t.co/rH7srR2GeN
પેડમેન એક્ટર અક્ષય કુમારે પણ શહીદ થયેલા જવાનોને સન્માન આપતા લોકોને પુલવામા એટેકમાં શહીદોના પરિવારને મદદ કરવા માટે અપીલ કરી છે. આ માટે તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ઑફિશ્યલ વેબસાઇટ ઉલ્લેખ કર્યો છે અને સાથે જ લોકો સચેત કર્યા છે કે ખોટી વેબસાઇટ પર ફંડ ના આપો.
પુલવામાં એટેકમાં શહીદ થયેલા જવાનોના પરિવારની મદદ માટે દરેક વ્યકિત આગળ આવી રહી છે. રિલાયન્સ ફાઉન્ડેશને તો શહીદોના પરિવાર અને બાળોકને પૂરો ખર્ચ ઉઠાવવી જવાબદારી લીધી છે. તો અમિતાભ બચ્ચને શહીદોના પરિવારને 5-5 લાખ જ્યારે ઉરી ની ટીમે આર્મી વેલ્ફેર ફંડમાં 1 કરોડની મદદ કરી છે.
બોલિવુડનો સુપરસ્ટાર સલમાન ખાન પોતાના NGO બીંઇગ હ્યુમન ફાઉન્ડેશન તરફથી શહીદોના પરિવારોની મદદ માટે આગળ આવ્યા છે. સલમાનની આ રજૂઆતની ભારતના ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂએ પ્રશંસા કરી છે. તેમણે ટ્વીટ કરીને સલમાનનો આભાર માન્યો છે કે ''તેઓ જાતે જ ધ્યાન રાખશે કે સલમાનના બીંઇગ હ્યુમન તરફથી મળેલી મદદ શહીદોના પરિવાર સુધી પહોંચાડવામાં આવે.''