પ્રેમના બંધનમાં બંધાયેલા વરની ઉંમર 75 વર્ષની તો દુલ્હનની ઉંમર 65 વર્ષની છે. જણાવી દઈએ કે બંને ઘણા વર્ષોથી લિવ-ઈનમાં રહેતા હતા અને એકબીજાને પ્રેમ કરતા હતા.
75 વર્ષનો વર તો 65 વર્ષની દુલ્હન બંધાયા લગ્નના બંધનમાં
બંને ઘણા વર્ષોથી લિવ-ઈનમાં રહેતા હતા
લોકોને ખબર થતાં આખું ગામ લગ્નનમાં પંહોચ્યું હતું
મધ્યપ્રદેશના સતનામાં અજબ પ્રેમની ગબજ કહાની સામે આવી છે. જણાવી દઈએ કે એક વૃદ્ધ દંપતીએ તેમની પ્રેમ કહાનીને વાસ્તવિકતામાં બદલવાનો વાયદો કર્યો છે અને અંહિયા મહત્વની વાત એ છે કે આ પ્રેમના બંધનમાં બંધાયેલા વરની ઉંમર 75 વર્ષની તો દુલ્હનની ઉંમર 65 વર્ષની છે. જણાવી દઈએ કે બંને ઘણા વર્ષોથી લિવ-ઈનમાં રહેતા હતા અને એકબીજાને પ્રેમ કરતા હતા. આ સાથે જ બંને એકબીજાનું ખૂબ ધ્યાન રાખતા હતા અને એ જોઈને લોકોએ સમૂહ લગ્ન સંમેલનમાં તેમના લગ્ન કરાવ્યા હતા. દાદા-દાદીની ઉંમરમાં થયેલા લગ્નને જોઈને દરેક લોકોના મનમાં એક જ વિચાર આવ્યો હતો કે આ અનોખા પ્રેમની જીત છે.
અજબ પ્રેમ કી ગજબ કહાની
ગુરુવારે સતનાના રામનગર જિલ્લામાં મુખ્ય મંત્રી કન્યાદાન યોજના હેઠળ સમૂહ લગ્ન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે આ કોન્ફરન્સમાં 75 વર્ષના વરરાજા ભગવાનદિન અને 65 વર્ષના મોહનિયાએ સાત ફેરા લીધા ત્યારે રામનગરના લોકોમાં અલગ જ ખુશી દેખાઈ રહી હતી. જણાવી દઈએ કે રામનગરના રહેવાસી ભગવાનદિન જન્મથી જ વિકલાંગ છે અને આ પહેલા પણ એમને લગ્ન કર્યા હતા. 11 વર્ષ પહેલા તેની પત્નીનું અવસાન થયું હતું અને આ લગ્નથી એમને કોઈ સંતાન નહોતું, બીજી તરફ 65 વર્ષીય મોહનિયાએ ક્યારેય લગ્ન કર્યા ન હતા.
10 વર્ષથી લિવ-ઇનમાં રહેતા હતા
ભગવાનદિન પત્નીના મૃત્યુ બાદ એકલા પડી ગયા હતા પણ સમય જતાં ધીરે ધીરે મોહનિયાના પ્રેમમાં પડી ગયા હતા. જણાવી દઈએ કે મોહનિયા છેલ્લા 10 વર્ષથી તેની સાથે રહેતી હતી અને ગામના લોકો પણ તેમના લિવ-ઈન સંબંધ વિશે જાણતા હતા. જ્યારે મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ લગ્ન સંમેલનમાં ભગવાનદિન અને મોહનિયા લગ્ન કરવા જઈ રહ્યા છે એ ખબર ગામના લોકોને થતાં આખું ગામ તેમના લગ્નનમાં પંહોચ્યું હતું. ગ્રામજનોએ દિવ્યાંગ ભગવાનદિનને ખોળામાં ઊંચકીને અગ્નિની પ્રદક્ષિણા કરી અને એ રીતે બંનેના લગ્ન સંપન્ન થયા હતા.
જણાવી દઈએ કે મુખ્યમંત્રી કન્યાદાન યોજના હેઠળ 135 યુગલોના લગ્ન થયા. મંત્રી રામખેલવાન પટેલે નવવિવાહિત યુગલોને નવા જીવનમાં પ્રવેશ માટે શુભેચ્છાઓ સાથે રૂ. 11,000નો ચેક અને રૂ. 34,000ની કિંમતની ઘરવપરાશની ચીજવસ્તુઓ ભેટમાં આપ્યા હતા.