એર ઈન્ડિયા હવે દેશમાં અનેક શહેરોમાં પોતાની સંપત્તિ વેચી રહી છે
મુંબઈ- દિલ્હી સહિત આ શહેરોમાં વેચાઈ રહ્યા છે ઘર અને કમર્શિયલ પ્રોપર્ટી
13.3 લાખ રુપિયાથી શરુ થશે બોલી
એર ઈન્ડિયા હવે દેશમાં અનેક શહેરોમાં પોતાની સંપત્તિ વેચી રહી છે
જો તમે દિલ્હી - મુંબઈ જેવા મોટા શહેરમાં ઘર ઘરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો તમે જલ્દીથી પોતાનું સપનું પુરુ કરી શકો છો. હકિકતમાં એરલાયન્સ કંપની એર ઈન્ડિયા હવે દેશમાં અનેક શહેરોમાં પોતાના ફ્લેટ અને અન્ય પ્રોપર્ટી વેચી રહી છે. એર ઈન્ડિયા આના માધ્યમથી 250-300 કરોડ રુપિયા ભેગા કરવાની યોજના બનાવી રહી છે . આ પ્રોપર્ટી દેશના 10 મોટા શહેરોમાં પોર્શ વિસ્તારોમાં સ્થિત છે. કંપની આ માટે ઈ બોલીનું આયોજન કરશે. આ 8 જૂલાઈ 2021થી શરુ થશે અને 9 જુલાઈ 2021એ બંધ થશે.
13.3 લાખ રુપિયાથી શરુ થશે બોલી
એક સમાચાર મુજબ આ યુનિટ્સની શરુઆતની બોલી 13.3 લાખ રુપિયાથી શરુ થશે. ગ્રાહક લગભગ 150 કરોડ રુપિયા સુધી બોલી લગાવી શકે છે. આ વખતે નીલામી સ્લોટમાં અનેક સંપત્તિઓ એવી છે જેમને પહેલા પણ અનેક વાર વેચાણ માટે મુકવામાં આવી ચૂકી છે.
આ શહેરોમાં છે સંપત્તિ
એર ઈન્ડિયા દ્વારા જારી નોટિસ મુજબ મુંબઈમાં એક રેસિડેન્ટર પ્લોટ અને ફ્લેટ, નવી દિલ્હીમાં 5 ફ્લેટ, બેંગલુરુમાં એક રેસિડેન્ટલ પ્લોટ અને કોલકત્તામાં ચાર ફ્લેટ છે. કંપની આ તમામ સંપત્તિઓને વેચશે. આ રીતે ઔરંગાબાદમાં એક બુકિંગ કાર્યાલય અને સ્ટાફ ક્વાર્ટર, નાસિકમાં 6 ફ્લેટ, નાગપુરમાં બુકિંગ ઓફિસ, ભૂજમાં એરલાઈનનું હાઉસ અને એક રેસિડેન્ટલ પ્લોટ અને તિરુવનંતપુરમમાં એક રેસિડેન્ટલ પ્લોટ અને મેંગલુરુમાં 2 ફ્લેટ છે.
10 ટકા સુધી મળશે છુટ
એર ઈન્ડિયાના ખરીદારોને આકર્ષિત કરવા માટે આમાંથી કેટલીક સંપત્તિઓ, ખાસ રુપે ટિયર 1 શહેરોમાં આરક્ષિત મૂલ્ય ઓછું કરી દીધું છે. એટલે કે ટિયર 1 શહેરોમાં એરલાયન્સ કંપની સંપત્તિ ખરીદવા પર વિશેષ છુટ આપશે. એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીઓના નામ ન છાપવા પર વિનંતી કરતા કહ્યું કે અધિકારીઓના જણાવ્યાનુંસાર આ સંપત્તિઓમાં લગભગ 10 ટકાની છુટ આપવામાં આવશે.