અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ ફટકારી નોટિસ છે. સ્ટર્લિંગ હોસ્પિટલની જમીન પરત લેવા AUDAએ નોટિસ ફટકારી છે. તો બીજી તરફ AMC એ સ્ટર્લિંગ હોસ્પિટલ સહિત 16 ખાનગી હોસ્પિટલ્સને નોટિસ ફટકારી છે. મળતી માહિતી અનુસાર જે ખાનગી હોસ્પિટલ્સને Covid-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલ તરીકે નક્કી કરાઈ હતી તેમને દિશાનિર્દેશનું પાલન ન કરવાને કારણે નોટિસ ફટકારાઈ છે.
80 ટકા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જાહેર દવાખાના માટે ઉપયોગ કર્યો નથી
3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ
અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલને AUDAએ જમીન પરત લેવા AUDAએ નોટિસ ફટકારી છે. જેમાં 80 ટકા વિસ્તાર ટ્રસ્ટ દ્વારા જાહેર દવાખાના માટે ઉપયોગ કર્યો નથી. 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે. 90 વર્ષના ભાડા પેટે સ્ટર્લિંગ હોસ્પિટલને જમીન આપવામાં આવી છે.
જો કે સ્થળ પર બાંધકામ દરમ્યાન આવો કોઈ પણ અમલ દેખાયો નથી. જેનો તંત્ર દ્વારા પણ દસ્તાવેજો અને માહિતી અગાઉ માંગવાામાં આવેલ છે પરંતુ તે મળી નથી. આ બાબતે 3 દિવસમાં ખુલાસો કરવા હોસ્પિટલને આદેશ થયો છે. ઉલ્લેખનીય છે કે 90 વર્ષના ભાડા પેટે સ્ટર્લિંગ હોસ્પિટલને જમીન આપવામાં આવી છે. જ્યારે AUDAની નોટિસમાં AMCના આદેશના પાલનનું ઉલ્લંઘન કરવાનો પણ ઉલ્લેખ કર્યો છે અને જમીન લીઝ પર આપવાની શરતોનું ઉલ્લંઘન પણ થવાનું જણાવવામાં આવ્યું છે.
ત્યારે બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરની 16 હોસ્પિટલ્સને એપિડેમિક ડિસીઝ્ડ ઍક્ટ 1897 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઍક્ટ 2005 હેઠળ કોવિડ-19 માટે કરાયેલા આદેશનું પાલન ન કરવા માટે નોટિસ ફટકારી હતી.
જેમાં સ્ટર્લિંગ હોસ્પિટલ, લાઈફ કેર હોસ્પિટલ, સરદાર હોસ્પિટલ, બોડી લાઈન હોસ્પિટલ, બોપલ ICU અને ટ્રોમા સેન્ટર, શ્રેય હોસ્પિટલ, સરસ્વતી હોસ્પિટલ, SAL હોસ્પિટલ, રાજસ્થાન હોસ્પિટલ, SGVP હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, કર્ણાવતી સુપર સ્પેશ્યાલિટી, સિંધુ હોસ્પિટલ, સ્ટાર હોસ્પિટલ અને મેડિલીંગ હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે.
મહત્વનું છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ હોસ્પિટલ્સને કોવિડ-19ની સારવાર માટે 50 ટકા બેડ ફાળવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. જેનો હોસ્પિટલ્સ દ્વારા ધરાર ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો અને રીતસરની બંને પક્ષે જંગ છેડાઈ જવા જેવો મામલો બન્યો છે. જેના પગલે AMCએ સિવિલ અને ક્રિમિનલ લૉ હેઠળ કાર્યાવહી તેમ જ મેનેજમેન્ટ સામે FIR પણ દાખલ કરવાની નોટિસ ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે 16 મેના રોજ આ મામલે નિર્ણય લેવાયો હતો અને તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા હતાં. આ માટે તંત્રએ અમદાવાદની કુલ 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી હતી. જેમાં 50 ટકા બૅડ સરકારી અને ખાનગી એમ કોરોનાના દર્દીઓ માટે રાખવાના હતાં. જેમાં સરકારી બૅડનો ખર્ચ અમદાવાદ મનપા ભોગવશે.