જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ બંધ રાખવામાં આવશે. આગામી 24થી 28 ફેબ્રુઆરી સુધી આ રસ્તાઓ બંધ રાખવામાં આવશે.
અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામુ
જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ રહેશે બંધ
24 થી 28 ફેબ્રુઆરી સુધી રહેશે બંધ
અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું રજૂ કરાયું છે. જે અંતર્ગત જનપથથી મોટેરા સ્ટેડિયમ સુધીનો માર્ગ બંધ રાખવામાં આવશે. આગામી 24થી 28 ફેબ્રુઆરી સુધી આ રસ્તાઓ બંધ રાખવામાં આવશે. સવારે 10થી રાત્રે 12 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવાનું રહેશે. પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના આદેશથી ક્રિકેટ મેચના કારણે સ્ટેડિયમ તરફના રસ્તાઓ બંધ કરાયા છે. મોટેરા સ્ટેડિયમ ખાતે 24 તારીખથી ખેલાડિઓ, VIP લોકોના આગમન અને મેચ જોવા આવનારાઓ પણ વાહન લઈને આવશે. ત્યારે સામાન્ય લોકોને તકલીફ ન પડે તેને લઈ આ નિર્ણય કરાયો છે.