આજે પીએમ મોદીના ગુજરાત પ્રવાસના કારણે રુટ ડાયવર્ટ કરાયા, વૈકલ્પિક માર્ગ નો ઉપયોગ કરવા લોકોને પોલીસે કરી અપીલ.
PM મોદીની ગુજરાત મુલાકાત
કાર્યક્રમને લઈને રુટ ડાયવર્ટ કરાયા
અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
PM નરેન્દ્ર મોદી આજે અમદાવાદની મુલાકાત આવનાર છે. જેમાં તેઓ GMDCના ગ્રાઉન્ડમાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધશે. તેમના આ કાર્યક્રમને પગલે ટ્રાફિક પોલીસ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. બપોરે 12 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થયા ત્યાં સુધી કેટલાક રૂટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યા છે. જેમાં હિમાલય મોલથી સંજીવની હોસ્પિટલ સુધી રસ્તા પર પ્રતિબંધ રખાયો છે. તથા શહીદ ચોકથી માનસી ચાર રસ્તા, સંજીવની હોસ્પિટલથી NFD ચાર રસ્તાથી ગુરૂદ્વારા સુધીના રસ્તા પર પ્રતિબંધ મુકાયો છે. તો હિમાલય મોલથી થલતેજ અને થલતેજથી ગુરૂદ્વારા તરફ વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. આ સિવાય ગુરૂદ્વારાથી પકવાન અને પકવાનથી માનસી ચાર રસ્તા તરફનો માર્ગ ચાલુ રહેશે તેમ ટ્રાફિક પોલિસ દ્વારા જાણવા મળ્યુ છે.
અમદાવાદ શહેરમાં તા.૧૧/૩/૨૦૨૨ ના રોજ જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ, મેમનગર ખાતે “ગુજરાત પંચાયત મહા સંમેલન... મારુ ગામ મારુ ગુજરાત' નો કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન કરવામાં આવે છે. 11 માર્ચે બપોરે 12 વાગ્યાથી અમદાવાદમાં વસ્ત્રાપુર લેકની આસપાસથી GMDC ગ્રાઉન્ડને જોડતા તમામ રસ્તા બંધ રહેશે. 12 માર્ચે બપોરે 2 વાગ્યાથી નવરંગપુરા સ્ટેડિયમની આસપાસના રસ્તા, ઈન્કમટેક્ષ ક્રોસ રોડ, કોમર્સ સર્કલ રોડ, અને વેસ્ટ રિવરફ્રન્ટનો સંપૂર્ણ રોડ બંધ વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
11 માર્ચ માટેનું જાહેરનામું
સંજીવની હોસ્પીટલ ટી વસ્ત્રાપુર તળાવ થી અંધજન મંડળ ચાર રસ્તા થી હેલ્મેટ ચાર રસ્તા તથા સંજીવની હોસ્પીટલ ટી વસ્ત્રાપુર તળાવ થી હોટલ હયાત થઇ કલ્યાણપુષ્ટી હવેલી સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
સંજીવની હોસ્પીટલ ટી વસ્ત્રાપુર તળાવ થઈ શહીદચોક વસ્ત્રાપુર તળાવ થઇ માનસી ચાર રસ્તા થી ડાબી બાજુ વળી કેશવબાગ ટી થી ડાબી બાજુવળી અંધજન મંડળ ચાર રસ્તા થી જમણી બાજુ વળી પાંજરાપોળ ચાર રસ્તા થઇ ગુલબાઈ ટેકરા ટી થઇ દાદાસાહેબ પગલા ચાર રસ્તા થઇ વિજય ચાર રસ્તા થઇ હેલ્મેટ ચાર રસ્તા સુધીના માર્ગનો અવર જવર માટે ઉપયોગ કરી શકાશે.
-: જાહેરનામાની અમલવારીની તારીખ અને સમય :
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની જોગવાઇ હેઠળ. મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૧/૩/૨૦૨૨ ના કલાક ૧૨.૦૦ થી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલવારી કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.
12 માર્ચે માટેનું જાહેરનામું
હુકમ : અમદાવાદ શહેરમાં તા.૧૨/૩/૨૦૧૨ ના રોજ સરદાર પટેલ સ્ટેડીયમ, નવરંગપુરા ખાતે “ખેલ મહાકુંભ-૨૦૨૨” નો કાર્યક્રમ યોજાનાર છે. જે કાર્યક્રમ દરમિયાન નીચે જણાવેલ માર્ગ/વિસ્તાર પરથી પસાર થતો ટ્રાફિક તમામ પ્રકારના વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત ડાયવર્ઝન કરવામાં આવે છે. વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત
કયા રુટ બંધ રહેશે?
સરદાર પટેલ બાવલા સર્કલ થી સ્ટેડીયમ છ રસ્તા તથા ઇન્કમટેક્ષ ચાર રસ્તા થી સ્વસ્તીક ચાર રસ્તા તથા લખુડી સર્કલ થી રેડીમ છ રસ્તા તથા કોમર્સ સર્કલ થી સ્ટેડીયમ છ રસ્તા સુધીનો માર્ગ વાહનોની અવર જવર માટે પ્રતિબંધીત રહેશે
વૈકલ્પિક માર્ગની વિગત
ઉસ્માનપુરા ચાર રસ્તા થઈ ઇન્કમટેક્ષ ઓવરબ્રિજ થઈ બુદ્ધાસિંગ ચાર રસ્તા થઈ મિઠાખળી સર્કલ થા ગીરીશ કોલ્ડીક્સ ચાર રસ્તા થઇ સ્વસ્તીક ચાર રસ્તા સુધીના માર્ગનો અવર જવર માટે ઉપયોગ કરી શકાશે. રિવરફ્રન્ટ પશ્ચિમ માર્ગ
લખુડી સર્કલ થઈ દર્પણ સર્કલ થઈ વિજય ચાર રસ્તા થઈ દાદાસાહેબ પગલા થઈ કોમર્સ સર્કલ સુધીના માર્ગનો વાહનોની અવર જવર માટે ઉપયોગ કરી શકાશે, આશ્રમ રોડ – રિવરફન્ટ પુર્વનો માર્ગ :
વાડજ સ્મશાન ગૃહ કટ થી પશ્ચિમના રીવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ નીચે રોડ થઇ પાલડી ચાર રસ્તા થઇ અંજલી ચાર રસ્તા સુધીનો રીવર રોડ વાહનોની અવર થઈ અવર જવર કરી શકાશે તથા પુર્વના રીવરફ્રન્ટરોડનો ઉપયોગ કરી શકાશે જાહેરનામાની અમલવારીની તારીખ અને સમય :
આ જાહેરનામાનો અમલ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ ની ગવાઈ હેઠળ મહત્તમ સમયમર્યાદાને આધિન રહીને તા.૧૨/૩/૨૦૨૨ ના કલાક ૧૪:૦૦ થી કાર્યક્રમ પુર્ણ ન થાય ત્યાં સુધી જરૂરીયાત મુજબ પોલીસ દ્વારા અમલવારી કરાવવામાં આવે ત્યાં સુધી કરવાનો રહેશે.
અપવાદ : સદર કાર્યક્રમ સાથે સંકળાયેલ વાહનો, ફરજમાં રોકાયેલા સરકારી વાહનો, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સના વાહનો તેમજ આકસ્મિક સંજોગોમાં વાહન સાથે અવર-જવર કરનારને આ જાહેરનામું લાગું પડશે નહી.
આ જાહેરનામાના આદેશોનું ઉલ્લઘંન કરનાર ઇસમ ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.