ગઈકાલે ગુજરાત અને એમાંય અમદાવાદ માટે ગોઝારો દિવસ હતો. વહેલી સવારે કોવિડની હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી અને જેમાં કોરોનાના 8 દર્દીઓ જીવતા ભુંજાઈ ગયા હતા પરંતુ 41 દર્દીઓના જીવ બચી ગયા હતા. આ જીવ બચાવવા પાછળ જે મહિલા PSIનો ફાળો છે તેને VTV સલામ કરે છે.
અમદાવાદની શ્રેયા હોસ્પિટલમાં અગ્નિ કાંડ મામલો
મહિલા PSIએ જીવના જોખમે દર્દીઓને બચાવ્યા
PSI કે.એમ. પરમારની હિંમતને અધિકારીઓ પ્રોત્સાહિત કર્યા
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડમાં 8 દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પરંતુ જ્યારે આગ લાગી ત્યારે મહિલા PSIએ પોતાના જીવના જોખમે દર્દીઓને બચાવ્યા હતા. આ મહિલા PSI કે.એમ.પરમારની હિંમતને અધિકારીઓએ બિરદાવી છે.
નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં ગુરૂવારે પરોઢિયે 3 થી 4 વાગ્યાની આસપાસ ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીનાં મૃત્યુ થયા હતા. જેમાંથી 3 વ્યક્તિના દાઝી જવાથી તો 5ના ગુંગળાઈ જવાથી મોત થયા હતા. જ્યારે કોરોનાના અન્ય 41 દર્દીના જીવ બચી ગયા હતા. જેમને બચાવવા મહિલા PSI કે. એમ. પરમારની હિંમતને બિરદાવી છે. હાલ SVP હોસ્પિટલમાં દાખલ આ 41 દર્દીના જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSIનો પણ ફાળો છે. તેઓ કન્ટ્રોલમાંથી મેસેજ મળતા ટીમ સાથે 10 મિનિટમાં જ શ્રેય હોસ્પિટલે પહોંચ્યા હતા.