કોરોના સંકટ વચ્ચે અમદાવાદમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાતા ચકચાર મચી છે.
અમદાવાદમાં બર્ડફ્લૂનો કેસ નોંધાયો
સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂનો કેસ નોંધાયો
બર્ડ ફલૂને કારણે અમદાવાદ કલેક્ટરનું જાહેરનામું
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, મરઘા ફાર્મમાં રહેલા પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદના સોલા વિસ્તારમાં બર્ડ ફ્લૂનો કેસ આવતા સ્થાનિકોમાં પણ ચિંતા વધી હતી. જો કે, આ ઘટના બાદ સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક અસરથી હરકતમાં આવ્યું છે અને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે.
કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામુ
અમદાવાદના કલેક્ટર બહાર પાડેલ જાહેરનામા પ્રમાણે, ઈંડા અને ખાદ્ય પદાર્થને નષ્ટ કરવા તથા માસ-મટન-પક્ષીઓનું વેચાણ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
માનવી માટે ખતરનાક
બર્ડ ફ્લૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.
બર્ડ ફ્લૂના લક્ષણો
હંમેશા કફ રહેવા
નાકમાંથી પાણી નીકળવું
સતત માથાનો દુખાવો રહેવા
ગળામાં સોજો
સાંધામાં દુખાવો
જાડા-ઉલ્ટી પેટમાં દુખાવો
પેટથી નીચેના ભાગમાં દુખાવો
શ્વાસ લેવામાં તકલીફ
શેનાથી ફેલાય છે ?
એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસ બર્ડ ફ્લૂના નામથી જાણીતો છે. આ ખતરનાક વાયરસ પક્ષીઓને અધિક પ્રભાવિત કરે છે. ખાસ કરીને મરઘાં-મરઘીઓ અને અન્ય પક્ષીઓ તેનો શિકાર ઝડપથી બને છે. તેની અસરથી પક્ષીઓ અને માણસો મોતને ભેટી શકે છે. WHOના આંકડા અનુસાર 2003 પછી બર્ડ ફ્લૂની બિમારીથી 332 લોકોના મોત નીપજ્યા છે. તો WHO ના એક રિસર્ચ અનુસાર H5N1 વાયરસ પર જો કાબૂ ન કરી શકાય તો ભયંકર રોગચાળો ફેલાઈ શકે છે.
ચિંતાનો વિષય
ભારતમાં 5 ડિસેમ્બર 2016થી એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે અને તેની જાણકારી વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠનને પણ કરવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ફરીથી H5N1 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે.
બર્ડ ફ્લૂના લક્ષણો અને બચવાના ઉપાયો જાણો Ek Vaat Kauમાં...