અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરરેશનમાં કરવામાં આવેલ RTIમાં ચોંકાવનારી હકીકત બહાર આવી કે, શહેરમાં ડેન્ગ્યુ-મલેરિયા જેવા ઉપદ્વવને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 4 વર્ષમાં 75.50 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે.
ડેન્ગ્યુના 11,613 કેસ તો ચિકનગુનિયાના 1081 કેસ
75 કરોડ 50 લાખનો ખર્ચ છતાં શહેર રોગચાળાના ભરડામાં
RTIની માહિતી બાદ AMCએ કરેલા ખર્ચને લઇને ઉઠ્યા સવાલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરરેશનમાં કરવામાં આવેલ RTIમાં ચોંકાવનારી હકીકત બહાર આવી કે, શહેરમાં ડેન્ગ્યુ-મલેરિયા જેવા ઉપદ્વવને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 4 વર્ષમાં 75.50 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. જયારે વસૂલાત પેટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 3.88 કરોડનો વહીવટી ચાર્જ વસૂલ કર્યો છે.જોકે છતાં શહેરમાં રોગચાળાની પરિસ્થિતિ ઠેરની ઠેર જ છે .
અમદાવાદ શહેરના રોગચાળાની પરિસ્થિતિ ઠેર ની ઠેર છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે એએમસી તંત્ર એ અધધ ખર્ચો કર્યો છે .એક આરટીઆઈ ની માહિતી માં બહાર આવ્યું છે કે, વર્ષમાં ડેન્ગ્યુ, સાદા મલેરિયા, ઝેરી મલેરિયા અને ચિકન ગુનિયામાં છેલ્લા 4 વર્ષમાં 42 લોકોના મોત થયા છે.
છેલ્લા 4 વર્ષમાં એએમસી તંત્ર દ્વારા 75.50 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો
તેમજ યશ મકવાણા નામના RTI એક્ટિવીસ્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે જાહેર માહિતી અધિનિયમ-૨૦૦૫ હેઠળ એક અરજી કરી હતી. જેમાં અરજદારે પાંચ મુદ્દાને સંદર્ભે AMC ના આરોગ્ય વિભાગ પાસે માહિતી માંગી હતી.જેમાં અમદાવાદ શહેરમાં છેલ્લા 5 વર્ષમાં ડેન્ગ્યુ સાદા અને ઝેરી મલેરિયા, ચિકન ગુનિયા અને ફાલસીપારમના કેટલા કેસ નોંધાયા તેની માહિતી, આ પૈકી થયેલ દર્દીઓના મોતનો રેકોર્ડ, AMC દ્વારા આ અટકાવવા અને દર્દીઓની સારવાર પાછળ થયેલ ખર્ચ, તેની પાછળ કરવામાં આવતા આયોજન અને આરોગ્ય વિભાગ દ્વારા સાઇટ વિઝિટ કરી મચ્છરોના પર વસૂલ કરવામાં આવેલ દંડની વસૂલાતની માહિતી માંગી હતી. જેમાં છેલ્લા 4 વર્ષમાં એએમસી તંત્ર દ્વારા 75.50 કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.
હેલ્થ-મલેરિયા વિભાગે આંકડાકીય માહિતી દર્શાવી
અરજદાર દ્વારા માંગેલ માહિતીના જવાબમાં આપવામાં આવેલ માહિતીમાં હેલ્થ-મલેરિયા વિભાગે આંકડાકીય માહિતી દર્શાવી કે, વર્ષ 2016થી વર્ષ 2019 દરમિયાન 4 વર્ષના ગાળામાં સાદા મલેરિયાના 28,112 કેસ, ઝેરી મલેરિયાના 4,599 કેસ , ડેન્ગ્યુના 11,613 કેસ અને ચિકનગુનિયાના 1,081 કેસ નોંધવામાં આવ્યા હતા.