દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી RPN સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થઈ ગયા છે.
યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસને તગડો ઝટકો
દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી RPN સિંહ ભાજપમાં જોડાયા
કોંગ્રેસના ખૂબ લોકપ્રિય નેતા છે RPN સિંહ, આજે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું
દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો
યુપી ચૂંટણી પહેલા કોંગ્રેસને એક તગડો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ખૂબ લોકપ્રિય નેતા અને મનમોહન સરકારમાં મંત્રી રહેલા RPN સિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે અને દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. યુપીની ચૂંટણી પહેલા RPN સિંહનું ભાજપમાં જવું કોંગ્રેસ માટે શુભ સંકેત નથી. કોંગ્રેસ પાર્ટીને લાગેલો આ અત્યાર સુધીનો તગડો ઝટકો છે.
Delhi | Former Union minister & Congress leader RPN Singh to joins Bharatiya Janata Party pic.twitter.com/MTMSPqIkAT
કોંગ્રેસ હવે પહેલા જેવી પાર્ટી રહી નથી-ભાજપમાં જોડાયા બાદ RPN સિંહે કહ્યું
આરપીએન સિંહે મંગળવારે સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું પત્ર મોકલ્યું હતું અને પાર્ટીમા જોડોવા માટે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં પહોંચ્યા હતા. ભાજપમાં જોડાયા બાદ સિંહે કહ્યું કે હું 32 વર્ષ સુધી હું કોંગ્રેસમાં રહ્યો હતો, પરંતુ હવે કોંગ્રેસે પહેલા જેવી રહી નથી. પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુપીમાં ડબલ એન્જિનની સરકારે જે રીતે વિકાસ કર્યો છે. બધાએ તે જોયું છે, "તેમણે કહ્યું હતું કે, તેઓ દેશ અને યુપીના નિર્માણમાં જે યોગદાન આપવાનું છે તે કરશે. તમને જણાવી દઈએ કે આરપીએન સિંહ યૂપીએ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તે યુપીના પૂર્વાંચલના પાદ્રૌનાનો રહેવાસી છે.
#WATCH Former Union minister & Congress leader RPN Singh joins Bharatiya Janata Party in Delhi, ahead of Uttar Pradesh Assembly elections pic.twitter.com/HTGrFoNHDK
કોણ છે RPN સિંહ
સિંહ 1996, 2002 અને 2007માં પાદરૌના વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. 1999ની લોકસભા ચૂંટણીમાં આરપીએન સિંહ ત્રીજા સ્થાને રહ્યા હતા. 2004માં તેઓ બીજા સ્થાને હતા. 2009ની લોકસભા ચૂંટણીમાં રતનજીત પ્રતાપ નારાયણ સિંહ (આરપીએન સિંહ) ચૂંટણી જીત્યા હતા અને તેઓ સરફેસ ટ્રાન્સપોર્ટ અને રોડ હાઇવેના રાજ્ય મંત્રી, યૂપીએ-2 સરકારમાં પેટ્રોલિયમ અને ગૃહ રાજ્યમંત્રી હતા. 2014ની લોકસભા ચૂંટણીમાં આરપીએન સિંહને ભાજપના ઉમેદવાર રાજેશ પાંડેએ 85540 હજાર મતોથી હરાવ્યા હતા.
પ્રજાસત્તાક દિવસે નવો રાજકીય અધ્યાય શરુ કરી રહ્યો છું
આરપીએન સિંહે પણ ટ્વિટ કરીને લખ્યું, આજે જ્યારે આખો દેશ ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે, ત્યારે હું મારા રાજકીય જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરી રહ્યો છું. જય હિન્દ'. આરપીએન સિંહે ટ્વિટ કરીને લખ્યું, "આ મારા માટે નવી શરૂઆત છે. હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર નિર્માણમાં મારું યોગદાન આપવા આતુર છું.