આંતરરાષ્ટ્રીય સ્તરે કુટનીતિ એક મોટો શબ્દ છે. આ દ્રશ્યોમાં જે દેખાય છે તે કુટનીતિ છે એટલે કે ડિપ્લોમસી. પુલવામાં હુમલા પછી ભારત ચારેતરફથી પાકિસ્તાન પર દબાણ વધારી રહ્યું છે.
પાકિસ્તાન ભલે પોતાનો બચાવ કરે પણ ભારતે હુમલા માટે પાકિસ્તાન અને ત્યાં પાલતુની જેમ ઉછરી રહેલા આતંકવાદીઓને જવાબદાર ગણાવ્યા છે. હાલ તો પાકિસ્તાન દુનિયામાં નાલેશીનો સામનો કરી રહ્યું છે ત્યારે પાકિસ્તાન માટે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે તેવી એક ઘટના મા-ભારતીના આપણાં બે સપૂતો દ્વારા ઘટી.
વાત એમ છે કે કુલભૂષણ જાધવના કેસ માટે નેધરલેંડના હેગ શહેરમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ બેઠી છે. આપણા તરફથી કેસ હરીશ સાલ્વે લડી રહ્યાં છે અને સાથે આપણાં અધિકારીઓ કોર્ટમાં હાજરી આપી રહ્યાં છે કોર્ટની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પાકિસ્તાનના એટર્ની જનરલ અનવર મંસૂર ખાન ભારતીય અધિકારીઓને હાથ મેળવવા પહોંચ્યા તો મંસૂર ખાનને તેમના દેશની કરતૂતનો સામનો કરવો પડ્યો.
ખાને જેવો હાથ દિપક મિત્તલ સામે લંબાવ્યો કે તરત જ સંપૂર્ણ રાષ્ટ્રવાદી એવા મિત્તલે બે હાથ જોડ્યા અને પાકિસ્તાનના એટોર્ની જનરલ સાથે હાથ ન મેળવ્યા. ખાન આગળ વધ્યા અને તેમણે ભારતના બીજા અધિકારી સામે હાથ લંબાવ્યા આ વખતે ખાનનો ભેટો નેધરલેન્ડ સ્થિત ભારતના રાજદૂત વેણુ રાજામણી સાથે થયો રાજામણીએ પણ હાથ જોડી લીધા અને હાથ ન મેળવ્યો.
જો કે એ પછીથી તમામ ભારતીય અધિકારીઓએ હાથ મેળવ્યા પરંતુ તેમને કુટનીતિ દર્શાવવાની જરૂર ન હતી. ભારતના જે બંન્ને અધિકારીઓએ પાકિસ્તાન સાથે હાથ ન મેળવીને પાકિસ્તાનને જવાબ આપ્યો તે જ પુરતું હતું.