આજના માર્કેટમાં IPOમાં રૂપિયા ઈન્વેસ્ટ કરવા સૌને ફાયદાકારક જણાય છે. નોંધનીય છે કે પાછલા થોડા દિવસોમાં રેલવેની બુકીંગ વેબસાઈટ IRCTCએ લોન્ચ કરેલા IPOને ખુબ સારો પ્રતિસાદ મળ્યો છે. IRCTCના IPOએ અત્યાર સુધી રોકાણકારોને ખુબ સારું રિટર્ન આપ્યું છે પરંતુ મોટાભાગના લોકો અરજી કર્યા પછી પણ IRCTCનો IPO મેળવી શક્યા નહોતા. તો તૈયાર થઇ જાઓ બીજા એક એવા ફાયદાકારક IPO માટે!
જો તમે પણ IRCTCના IPO માટે ફોર્મ ભર્યું હોય અને તમે પણ IRCTCના IPO મેળવી ન શક્યા હોવ તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જલ્દી જ ભારતની સૌથી મોટી સરકારી બેન્ક SBI તેનો IPO લોન્ચ કરવા જઈ રહી છે.
SBIના ચેરમેન રજનીશ કુમારે એક બિઝનેસ ચેનલ સાથે વાતચીત કરતી વખતે જણાવ્યું હતું કે SBI આવનાર ત્રિમાસિક ગાળામાં SBI કાર્ડનો IPO જાહેર કરવા જઈ રહી છે. બેન્ક પોતાના લેવલ પર આ બાબતે તૈયારી કરી રહી છે.
નિષ્ણાતોના મતે SBI આ IPO સાથે SBI કેપિટલ માર્કેટમાં ઉતારવા માંગે છે. અનુમાન પ્રમાણે આવતા વર્ષના જાન્યુઆરીમાં SBI કાર્ડનો IPO જાહેર કરવામાં આવશે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે SBI આ IPO વડે તેનો 14% હિસ્સો એટલે કે આશરે 13 કરોડ શેર વેચીને 1000 કરોડ રૂપિયા ભેગા કરવાનું આયોજન કરી રહી છે. આ માટે તેમણે IPO લોન્ચ કરવા માટે જરૂરી એવા બુક રનિંગ લીડ મેનેજર્સ BRLMનો પણ પ્રસ્તાવ મૂકી દીધો છે.
SBI કાર્ડમાં SBI બેન્કની 74% હિસ્સેદારી છે. બાકીનો હિસ્સો કાર્લાઈલ ગ્રુપ પાસે છે.
સપ્ટેમ્બરના કવાટરમાં જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે SBI ખુબ સારું પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને NPA ઘટાડવામાં બેન્ક સારા અંશે સફળ રહી છે. SBI કાર્ડના IPOમાં પૈસા રોકવા એક ખુબ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે તેવું નિષ્ણાતોનું કહેવું છે.
SBIના ચેરમેન રજનીશ કુમારે જણાવ્યું છે કે બેન્કમાં જમા રકમ ઉપર ઇન્શ્યોરન્સ કવર વધવું જોઈએ. તેઓના મતે એક લાખ રૂપિયા જેટલી વીમા સુરક્ષા પૂરતી નથી. તેમણે કહ્યું કે આમાં ઘણા વર્ષોથી બદલાવ થયો નથી આથી RBIએ આ વિષે વિચારવું જોઈએ.