ઉત્તર પ્રદેશમાં બસપા પ્રમુખ માયાવતી બાદ હવે રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ ચૌધરી અજીતસિંહે પણ ગઠબંધનનો સાથ છોડવાના સંકેત આપી દીધા છે. લોકસભા ચૂંટણી પહેલા બેઠકને લઇને દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં ભાજપને રોકવા માટે સપા-બસપા અને આરએલડીએ ગઠબંધન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે બસપાએ જાતે આ ગઠબંધનથી અલગ થવા સંકેત આપ્યા હતા. જો કે હવે સૂત્રોને મળતાં અહેવાલ મુજબ આરએલડી પણ આ ગઠબંધનથી અલગ થઇ શકે છે. આ અંગે જયંત ચૌધરી પાર્ટીઓના નેતાઓ સાથે બેઠક યોજી અંતિમ નિર્ણય લઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ત્રણેય પક્ષો એકસાથે મળીને ચૂંટણી લડ્યા હોવા છતા ભાજપને રોકવામાં નિષ્ફળ રહ્યાં હતા. ચૂંટણી પરિણામમાં બસપાને 10 જ્યારે સમાજવાદી પાર્ટીને માત્ર 5 બેઠક પર જીત મળી હતી, જ્યારે પશ્ચિમી યૂપીની પાર્ટી આરએલડીને એક પણ બેઠક પર જીત મળી નહોતી. આરએલડીને ગઠબંધન ચૂંટણી લડવાથી કોઇ ફાયદો થયો નહોતો.