મહેસાણા બાદ હવે સાબરકાંઠામાં દલિત પરિવાર સાથે અત્યાચારનો બનાવ સામે આવ્યો છે. પ્રાંતિજના સીતવાડામાં દલિત યુવકના લગ્નમાં અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગામમાં મંદિરના ચોકમાં દલિત પરિવારને ગરબા રમતા અટકાવવાનો પ્રયાસ કરાયો.
ગરબા ન રમી શકાય તે માટે ચોકમાં પાણીનો છંટકાવ પણ કરી દેવામાં આવ્યો. અને ગરબાના સ્થળે ટ્રક અને કાર ખડકી દેવાઇ. ઉપરાંત અજાણ્યા શખ્સો દ્વારા દલિત પરિવારને ધમકી પણ આપવામાં આવી છે. ત્યારે દલિત પરિવારે ધમકીના ડરથી વરઘોડા વિના જ મંદિરમાં દર્શન કરવા મજબૂર બન્યા છે.
ત્યારે સૌથી મોટી વાત તો એ છે કે, પોલીસ પ્રોટેક્શન હોવા છતા પણ દલિત યુવકને વરઘોડો કાઢવા દેવામાં નથી આવ્યો. જે ખુબ શરમજનક બાબત કહી શકાય. ત્યારે સવાલ એ છે કે, દલિત યુવકના લગ્નમાં વરઘોડા સામે વાંધો કેમ છે ?
સવર્ણ સમાજ અને દલિત સમાજ વચ્ચે આવો ભેદભાવ કેમ રખાય છે ?. દલિતો સાથે ક્યાં સુધી આવો અત્યાચાર કરાશે ?. કોણ દૂર કરશે આવી વિચિત્ર માનસિકતા ?. આઝાદ ભારતમાં ગુલામીની વાતો ક્યાં સુધી ?. કોણ દલિત પરિવારને દુશ્મન બનાવે છે ?. ભેદભાવનું આ દુષણ ક્યારે દૂર છે.