ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકની ફરિયાદો બાદ 700 TRB જવાનોને છુટ્ટા કરાયા, આગામી સમયમાં 3 વર્ષના કોન્ટ્રાક્ટના આધારે 700 TRB જવાનની ભરતી કરાશે
અમદાવાદમાં 700 TRB જવાનોને કરાયા છુટ્ટા
ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકની ફરિયાદો બાદ કાર્યવાહી
ગેરરીતિની ફરિયાદો હતી તે TRB જવાનોને કરાયો છુટા
અમદાવાદમાં એકસાથે 700 ટ્રાફિક બ્રિગેડના જવાનોને પાણીચું પકડાવી દેવામાં આવ્યું છે.. જેને લઈને ટ્રાફિક બેડમાં ફરજ બજાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં રોડ પર ટ્રાફિક વ્યવસ્થાનું નિયંત્રણ કરવા માટે મોટા પાયે ટ્રાફિક બ્રિગેડના જવાનોની કોન્ટ્રાક્ટ પર ભરતી કરવામાં આવતી હોય છે પરતું કેટલીક વાર આ જવાનો વધુ પૈસા કમાવવાની લાલાચમાં રાહદારીઓ પાસેથી ગેરકાયદેસર ચલણને બદલે પૈસાની ઉઘરાણી પણ કરતા હોય છે..
ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકની ફરિયાદો બાદ કાર્યવાહી
આવા કિસ્સામાં હવે ભ્રષ્ટાચાર અને ગરવર્તણૂંકની ઉઠેલી ફરિયાદનોને લઈને હવે તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે..શહેરમાં એક સાથે 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને છુટા કરી દેવામાં આવ્યા છે તેમની સામે ભ્રષ્ટ્રાચાર અને નાગરિકો સાથે ગેરવર્તણૂંકણની ફરિયાદ થતા તંત્રએ એક ઝાટકે તમામને છુટા કરી દીધા છે.. જો કે તંત્ર દ્વારા આગામી દિવસોમાં નવા 700 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનોની ભરતી કરવામાં આવશે તેવું જણાવાયું છે.. આ જવાનોને 3 વર્ષના કોન્ટ્રોક્ટ પર લેવામાં આવશે...પરતું હાલ તંત્રએ ભ્રષ્ટાચારને ડામવા લીધા આ નિર્ણયને પગલે અન્ય ટ્રાફિક બ્રિગડના જવાનનો એક ચોક્કસ સકારાત્મક સંદેશ જરૂર ગયો છે જે બાદ હવે કર્મચારીઓ નિષ્ટાપુર્વક ફરજ બજાવતા થશે...