બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના નિવેદનોને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ ખેડૂત આંદોલનને લઇને કંગનાએ જે નિવેદન આપ્યુ તેને લઇને તે ચર્ચામાં છે. તેના આ વિવાદિત નિવેદન પર બોલિવૂડના સ્ટાર્સે રિએક્ટ કર્યુ છે.
કંગનાએ આપ્યુ વિવાદિત નિવેદન
દિલજીત દોસાંજ બાદ સ્વરાએ આપ્યો જવાબ
કંગના અને દિલજીત વચ્ચે ટ્વિટર વૉર
કૃષિના કાયદાને લઇને કરવામાં આવેલા આંદોલન પર કંગનાએ ટ્વિટ કર્યુ હતુ અને તેમાં કહ્યું હતું કે આ દાદી દરેક આંદોલનમાં 100 રૂપિયમાં જાય છે.
કંગનાનું કામ ઝેર ફેલાવાનું છે - સ્વરા
એક ઇન્ટરવ્યૂમાં સ્વરા ભાસ્કરે કંગના માટે કહ્યું હતું કે તેનું કામ જ ઝેર ફેલાવાનું છે અને તેના તરફથી કરવામાં આવતા ટ્વિટ પણ કોઇ એજન્ડાથી પ્રેરિત હોય તેવું લાગે છે. કંગનાના નિવેદન અપમાનજનક અને ઘટિયા હોય છે તેવું પણ સ્વરાએ ઉમેર્યુ હતું.
કંગનાની ભાષા અપમાનજનક
સ્વરાએ કહ્યું કે, કંગનાએ વૃદ્ધો વિરુદ્ધ અપમાનજનક ભાષાનો પ્રયોગ કર્યો છે, તે પહેલા પણ જયા બચ્ચન જેવા સિનીયર લોકો માટે પણ આવી જ ભાષાનો પ્રયોગ કરી ચૂકી છે. કંગનાની આ ભાષાને ચલાવી સહન ન કરી શકાય તેવી છે.
દિલજીતની કરી પ્રશંસા
સ્વરાએ દિલજીત દોસાંજની પ્રશંસા કરી છે અને કહ્યું કે દિલજીતે સાચા મુદ્દા પર સ્ટેન્ડ લઇને કંગનાની બોલતી બંધ કરી છે. ઉલ્લેખનીય છે કે દિલજીતે કંગનાની ટ્વિટના જવાબ આપતા ઘણા ટ્વિટ કર્યા હતા . જે ખુબ જ વાયરલ થયા છે અને લોકો દિલજીતની ખૂબ પ્રશંસા કરી રહ્યાં છે.
Ooo Karan johar ke paltu, jo dadi Saheen Baag mein apni citizenship keliye protest kar rahi thi wohi Bilkis Bano dadi ji Farmers ke MSP ke liye bhi protest karti hue dikhi. Mahinder Kaur ji ko toh main janti bhi nahin. Kya drama chalaya hai tum logon ne? Stop this right now. https://t.co/RkXRVKfXV1
ટ્વિટર વૉર
કંગનાની આ પ્રકારની ટિપ્પણી બાદ દિલજીત દોસાંજ અને કંગના વચ્ચે ટ્વિટર વૉર છેડાઇ ગઇ હતી. દોસાંજ બાદ હવે સ્વરાએ પણ કંગનાની આ ટ્વિટ પર રિએક્શન આપ્યુ છે.