તારક મહેતા શોમાં દયાબેન ઉર્ફ દિશા વાકાણીને લઈને શોના મુખ્ય કલાકાર દિલીપ જોશી આકા જેઠા લાલે મોટો ખુલાસો કર્યો છે.
દિશા વાકાણીને લઈને દિલીપ જોશીએ કહી આ વાત
દયાબેનની વાપસીને લઈને આપ્યું મોટુ નિવેદન
જાણો તેના વિશે શું કહ્યું
નાના પડદાની સૌથી મોટી ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એક વખત ફરી ચર્ચામાં છે. આ શોનું ચર્ચામાં રહેવાનું કારણ એ છે કે વર્ષો બાદ આ શોનું સૌથી મોટુ પાત્ર દયાબેન ઉર્ફ દિશા વાકાણી તારક મહેતા સીરિયલમાં વાપસી કરવા જઈ રહી છે. આ વચ્ચે દિશાની આ શોમાં રી એન્ટ્રી અને તેના વગર આ ટીવી સીરિયલને ફેન્સે શું પ્રતિક્રિયા આપી, તેને લઈને તારક મહેતાના જેઠા લાલ અક્કા દિલીપ જોશીએ પોતાની ચુપ્પી તોડી છે.
શું કહ્યું દિલીપ જોષીએ?
હાલમાં જ્યારે દરેક જગ્યાએ દિશા વાકાણીની તારક મહેતા શોમાં વાપસીની ખબર સામે આવી રહી છે. ત્યારે દિલીપ જોશીએ એક મીડિયા ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે દયાબેનની આ ટીવી સીરિયલમાં વાપસી થશે કે નહીં તેના વિશે મારાથી વધારે જાણકારી તમને શોના નિર્માતા આપી શકશે.
પરંતુ હું ફક્ત એટલું કહેવા માંગુ છું કે દિશાની ગેરહાજરીમાં પણ ફેન્સે અમારા શોને જોવાનું બંધ નથી કર્યું અને અમને ખૂબ જ પ્રેમ આપ્યો છે. જેના માટે હું તેમનો આભાર માનવા માંગું છું. એવામાં જો દિસા વાપસી કરે છે કો એક વખત ફરીથી જેઠા લાલ અને દયાબેન તમને બધાને હસાવવા માટે તૈયાર રહેશે.
જેઠા લાલે દયાબેનને આપી શુભેચ્છા
મહત્વનું છે કે વર્ષ 2017થી દિશા બેન તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા શોનો ભાગ નથી. હકીકતે દિશા પોતાના પહેલા બાળકના જન્મને લઈને આ શોથી અલગ થઈ હતી. હાલ દિશાએ પોતાના બીજા બાળકને પણ જન્મ આપ્યો છે. જેના માટે દિલીપ જોશીએ તેમને શુભકામનાઓ પાઠવી છે. એવામાં તારક મહેતા શોના ફેન્સ માટે સાચે મોટી વાત છે કે દિશા ફરી શોમાં પરત ફરી રહી છે.