આપણા દેશમાં એવા ઘણા મંદિરો છે જે ઘણાબધા રહસ્યોથી અકબંધ છે. આ મંદિરો પોતાની સુંદરતા અને મૂર્તિઓના કારણે વિશ્વભરમાં જાણીતા બન્યા છે. આજે આપણે એક એવા શિવમંદિરની વાત કરીશું જ્યાંનું શિવલિંગ એક દિવસમાં ત્રણ વાર પોતાનો રંગ બદલે છે.
રાજસ્થાનના ધૌલપુર સ્થિત આ મંદિરમાં શિવલિંગ આવેલું છે જે દિવસમાં ત્રણ વાર રંગ બદલે છે. આ મંદિરમાં શિવલિંગને જોવા માટે લોકો દૂરદૂરથી આવે છે. આવો આપણે આ રહસ્યમયી મંદિર વિશે કેટલીક વાતો જાણીએ. જો કે આ ધૌલપુરનું મંદિર જ માઉન્ટ આબુના અચલગઢના પહાડી વિસ્તારો વચ્ચે આવેલું છે. જો તમે આ મંદિરની મુલાકાત લેવા જાઓ તો માઉન્ટ આબુ પણ ફરવા જઈ શકો છો.
ધૌલપુર જિલ્લામાં ચંબલ નદી પર સ્થિત અચલેશ્વર મહાદેવના મંદિરમાં આવેલ શિવલિંગ દિવસમાં ત્રણ વાર રંગ બદલે છે. આ શિવલિંગ સવારે લાલ બપોરે કેસરી અને સાંજે શ્યામ રંગનું થઈ જાય છે. જો કે મંદિરના શિવલિંગના આ રહસ્યને હજુ સુધી કોઈ સમજી શક્યું નથી. વૈજ્ઞાનિકો પણ આ મામલે કોઈ તથ્ય જાણી શક્યા નથી.
એક બીજું રહસ્ય પણ છે આ મંદિરમાં
આ મંદિરમાં શિવલિંગ પર ચઢાવવામાં આવતા પાણીમાં પણ એક રહસ્ય છૂપાયેલું છે. શિવલિંગની નીચે બનેલ પ્રાકૃતિક ખાડામાં ગમે તેટલું પાણી રેડો પણ તે ભરાતું જ નથી. 2 500 વર્ષ પહેલા બનેલા આ મંદિરમાં એક પંચ ધાતુમાંથી બનેલ નંદીની વિશાળ પ્રતિમા છે જે લગભગ 4 ટનની છે.
આ મંદિરમાં થાય છે શિવના અંગૂઠાની પૂજા
જો કે આ મંદિરમાં શિવલિંગની સાથે સાથે ભગવાનના અંગૂઠાની પણ પૂજા થાય છે. આ મંદિરમાં ભગવાનના અંગૂઠાના નિશાન આજે પણ દેખાય છે.