આફતાબ હવે તિહાડ જેલ પહોંચી ગયો છે. જેલમાં આફતાબની પહેલી રાત આરામદાયી રહી હતી. જેલનાં સૂત્રો અનુસાર આફતાબ આરામની ઊંઘ કરી રહ્યો હતો, તેના મુખ પર શરમની એક પણ રેખા દેખાણી નહીં.
આફતાબને 13 દિવસની ન્યાયિક કસ્ટડી મળી
તિહાડ જેલમાં ટેન્શન ફ્રી ઊંઘ કરી આફતાબે
24 કલાકથી સીસીટીવી કેમેરાની નજરમાં
શ્રદ્ધા વૉકર હત્યાકાંડનો આરોપી આફતાબ આ સમયે દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. આફતાબને શનિવારે રાત્રે કોર્ટમાંથી 13 દિવસની ન્યાયિક કસ્ટડી મળ્યાં બાદ તેને તિહાડ જેલમાં લઇ જવામાં આવ્યો હતો. સેલ નં. 04માં આફતાબને એકલો રાખવામાં આવ્યો હતો. 24 કલાકથી સીસીટીવી કેમેરાની નજરમાં તેને મુકવામાં આવ્યો હતો. તેના સેલ પાસે સુરક્ષા ગાર્ડ પણ તૈનાત હતાં. સૂત્રો અનુસાર 14 દિવસની રિમાન્ડ પર રહેવા છતાં પણ આફતાબનાં ચહેરા પર દુ:ખ કે શરમની એક રેખા પણ જોવા ન મળી. તે સંપૂર્ણરીતે ટેન્શન ફ્રી દેખાઇ રહ્યો હતો.
ફોટામાં આરામથી સૂતો હતો આફતાબ
આ પહેલા એક વખત આફતાબની એક ફોટો સામે આવી હતી જેમાં તે જેલની અંદર આરામથી સૂતો દેખાઇ રહ્યો છે. સૂત્રો અનુસાર આફતાબ પોતાના સેલમાં ટેન્શન ફ્રી થઇને આખી રાત ઘસઘસાટ સૂતો હતો. તો આફતાબને લઇને જેલ પ્રશાસનની સુરક્ષા કમિટી પણ એક્ટિવ છે. સીસીટીવીમાં 24 કલાક તેના પર નજર રાખવામાં આવે છે. જેલની બહાર પણ સુરક્ષા ગાર્ડ ઊભા રહે છે.
13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયો જેલ
દિલ્હી પોલીસની પાસે આફતાબની રિમાંડ માટે માત્ર 14 દિવસનો સમય હતો જે ગયાં શનિવારે પૂર્ણ થયો છે. આફતાબને મેડિકલ માટે આંબેડકર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જ્યાં વીડિયો કોન્ફેરેન્સિંગ થકી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટથી આફતાબને 13 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાડ જેલ મોકલવામાં આવ્યો છે.
28 નવેમ્બરનાં થઇ શકે છે આફતાબનો નાર્કો ટેસ્ટ
28 નવેમ્બર એટલે કે સોમવારે આફતાબનો નાર્કો ટેસ્ટ થઇ શકે છે. આ પહેલા શુક્રવારે તેનો પોલિગ્રાફી ટેસ્ટ પણ અધૂરો રહી ગયો હતો. આફતાબનાં પહેલા ચરણનો પોલિગ્રાફી ટેસ્ટ થઇ ગયો છે પરંતુ બીજાં ચરણનો ટેસ્ટ બાદકી છે. જેના માટે તપાસ ટીમે કાયદાકિય પગલાં લેવાનું શરૂ કર્યું છે. રિપોર્ટ અનુસાર પોલીસ ટીમને મહરોલીનાં જંગલોમાં જે હાડકાઓ મળ્યાં હતાં તે હકીકતમાં શ્રદ્ધાના નહોતા. હાડકાઓનું ડીએનએ ટેસ્ટ કર્યું જે એના પિતાનાં ડીએનએ સાથે મળી આવે છે.