બોટાદના બરવાળા પાસે આવેલા રોજીદ ગામ પાસે ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માત થતા ST બસના ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. આ ઘટનામાં અન્ય 3 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથધરી છે.
આ મામલા અંગે ડેપો મેનેજર ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું કે, શનિવારે સવારે 7.30 કલાકની આસપાસ રોઝિદ ગામ તરફથી આવતી એક લક્ઝરી બસ જે ઘણી જ સ્પીડમાં હતી. તેણે બોટાદ- અમદાવાદ એસટી સાથે ધડાકાભેર અથડાઇ હતી.
બોટાદના બરવાળા પાસે ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, ST બસ ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત#STBus#accident#Botad
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 24, 2019
નોંધનીય છે કે, આ અકસ્માતમાં એસટી બસનાં ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનામાં બસના કંડક્ટર અને એક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતાં. આ ઉપરાંત અન્ય 6 મુસાફરોને પણ નાની મોટી ઇજા થવા પામી હતી.
અકસ્માતમાં ઘાયલ થયેલા ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસ પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચી હતી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.