સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) અને મહાનાગર ટિલેફોન નિગમ લિમિટેડ (MTNL) માં સ્વૈચ્છિક નિવૃત્તિ (VRS) યોજના મંગળવાર (3 ડિસેમ્બર)ના રોજ બંધ થઇ ગઇ. જો કે એક અધિકારીના જણાવ્યા અનુસાર બંને કંપનીઓમાં મળીને કુલ 92,700 કર્મચારીઓએ VRS માટે અરજી આપી છે. જેમાં BSNL ના 78,300 કર્મચારી અને MTNL ના 14,378 કર્મચારીઓએ અરજી કરી છે.
BSNL ના 78,300 કર્મચારીઓએ આપી અરજી
MTNL ના 14,378 કર્મચારીઓએ આપી અરજી
મંગળવારે સરકારની યોજના થઇ બંધ
BSNL ના ચેરમેન અને પ્રબંધ નિદેશક પીકે પુરવારેના જણાવ્યા અનુસાર બધા સર્કલમાંથી મળેલી જાણકારી અનુસાર યોજના બંધ થવા સુધીમાં અંદાજે 78,300 કર્મચારીઓએ VRS માટે અરજી આપી છે. આ અમારા લક્ષ્ય મુજબ છે.
અમારા તરફથી 82,000 હજાર કર્મચારીઓની સંખ્યા ઘટવાની આશા હતી. VRS માટે અરજી કરનારા સિવાય 6,000 કર્મચારીઓ એવા પણ છે જે સેવાનિવૃત્ત થઇ ગયા છે. BSNL અને MTNL માં VRS માટે અરજી કરવાની અંતિમ તારીખ 3 ડિસેમ્બર નક્કી કરવામાં આવી હતી.
BSNL અને MTNL નું મર્જર થશે
કેન્દ્ર સરકાર દ્વારા BSNL અને MTNL ના મર્જરની જાહેરાત કરવામાં આવી છે. ગત ઓક્ટોબરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આ મુદ્દે મહોર લગાવી હતી. તે સમયે કર્મચારીઓ માટે VRS સ્કીમની જાહેરાત કરી દેવામાં આવી હતી. સરકારે ખોટમાં ચાલી રહેલી સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ માટે 68,751 કરોડ રૂપિયા રિવાઇવલ પેકેજની મંજૂરી આપી છે.