રાજ્યસભામાં ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીનાં સાંસદ સંજય સિંઘે ગુજરાતમાં થતાં દલિત અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો.
રાજ્યસભામાં OBC માટેનું બીલ પાસ
AAPનાં સંજય સિંઘે ગુજરાત અને યુપી સરકાર પર કર્યા પ્રહાર
દલિતો પર થતાં અત્યાચારનો ઉઠાવ્યો મુદ્દો
રાજ્યસભા અને લોકસભામાં છેલ્લા કેટલાક દિવસથી વિપક્ષનાં ભારે હોબાળાનાં કારણે ચર્ચા થઈ રહી નથી ત્યારે આજે લોકસભા અને રાજ્યસભામાં 127મુ બંધારણ સંશોધન બીલ પાસ કરાવવામાં આવ્યું છે. જેની ચર્ચા દરમિયાન આમ આદમી પાર્ટીનાં સંજય સિંઘે દલિતો પર અત્યાચારનો મુદ્દો ઉઠાવી ગુજરાત અને યુપીની ભાજપ સરકારને આડે હાથ લીધી હતી.
ગુજરાતમાં મૂછ રાખવા પર થાય છે હત્યા: સંજય સિંઘ
સંજય સિંઘે કહ્યું કે જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ત્યાં દલિતો પર અન્યાય કરવામાં આવે છે. હાથરસમાં એક દલિત યુવતી જેના પર બળાત્કાર કરવામાં આવ્યો તેને અડધી રાતે સળગાવી દેવામાં આવી. બલિયામાં એક દલિતને આખી સરકાર સામે જ હત્યા કરી દેવામાં આવે છે. ગુજરાતમાં તો મૂછ રાખવા પર દલિતની હત્યા કરી દેવામાં આવે છે. જ્યાં જ્યાં ભાજપની સરકાર છે ત્યાં ત્યાં દલિતોને દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે.
અનામતને વધારે સરકાર : સંજય સિંઘ
સંજય સિંઘે કહ્યું કે જો ખરેખરે તમે દલિતોનું ભલું કરવા માંગતા હોય તો 50 ટકા અનામતની સીમાને વધારવાનું કામ કરો, નહીંતર દેખાડા માટેનાં આ બીલનો અર્થ નથી.
યોગીજીને કહો કે મારુ એન્કાઉન્ટર જ કરાવી દે : સંજય સિંઘ
સંજય સિંઘે યુપી સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે આજે મારા પર 15મો કેસ દાખલ કરી દીધો છે. યોગીજીને કહો કે મારુ એનકાઉન્ટર જ કરાવી દે. સાહેબ મને ગેંગસ્ટર બનાવી દીધો છે, ગેંગસ્ટર.