ખેડૂતોના આંદોલનની સાથે દેશની રાજનીતિ પણ ગરમાઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમવારે સિંધુ બોર્ડર જઈને આંદોલનકારી ખેડૂતોની મુલાકાત કરી હતી. જે બાદ કેજરીવાલ તરફથી દાવો કરવામાં આવ્યો કે પોલીસે તેમને હાઉસ અરેસ્ટ કરી લીધા છે. જોકે તે બાદ પોલીસે પણ ફોટો શેર કરીને જવાબ આપ્યો છે.
કોઈને પણ તેમના આવાસ પર આવવાની કે બહાર જવાની પરવાનગી નથી
ખેડૂતોને દરેક શક્ય મદદ કરવાનો ભરોસો આપ્યો હતો
પોલીસે ખોલી પોલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી દ્વારા સતત આરોપ લગાવવામાં આવી રહ્યો હતો કે કેજરીવાલને હાઉસ અરેસ્ટ કર્યા છે. જોકે હવે દિલ્હી પોલીસે તેમના ઘરની તસવીર શેર કરીને આપના જુઠ્ઠાણાની પોલ ખોલી નાખી છે. પોલીસે ફોટો ટ્વિટ કરીને કહ્યું કે નજરબંદીનો દાવો સાવ ખોટો છે. ડીસીપીએ કહ્યું કે હાઉસ અરેસ્ટને લઈને સીએમ તરફથી કરવામાં આવી રહેલા દાવ ખોટા છે. તેમને દેશમાં ગમે ત્યાં જવાનો અધિકાર છે. તેમના ઘરના પ્રવેશદ્વારની તસવીર બધું જ કહી રહી છે.
કેજરીવાલે કર્યો હતો આરોપ
AAPએ ટ્વીટ કરી કહ્યું કે સોમવારે સિંધુ બોર્ડર પર ખેડૂતો સાથે મુલાકાત કરી પાછા ફર્યા બાદ ભાજપની દિલ્હી પોલીસે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાઉસ અરેસ્ટ કર્યા છે. કોઈને પણ તેમના આવાસ પર આવવાની કે બહાર જવાની પરવાનગી નથી.
Delhi Police has put CM Arvind Kejriwal under house arrest ever since he visited farmers at Singhu Border yesterday, tweets Aam Aadmi Party (AAP). pic.twitter.com/VvMEUQaigx
AAPના સૌરભ ભારદ્વાજે કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે સીએમ કેજરીવાલે સોમવારે સિંધુ બોર્ડર પર ખેડૂતોની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે તેઓ એક સેવા દારની જેમ તેમની સેવા અને સમર્થન કરશે. તેમની પાસેથી પાછા ફરવા પર દિલ્હી પોલીસે તેમના ઘરની ચારેય બાજુએ બેરિકેટ કરી દીધા છે અને તેમને નજર કેદ બંધ જેવી સ્થિતિમાં નાંખ્યા છે. આ બધુ ગૃહમંત્રાલયના ઈશારા પર કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કરતા સૌરભે કહ્યું કે ન કોઈને અંદર જવા દેવાય છે ન તો સીએમને બહાર આવવા દેવાય છે.
CM met farmers at Singhu border y'day. He had said that we'll serve them like 'Sevadars' & support them. After he returned, Delhi Police barricaded his residence from all sides, putting him in a house-arrest like situation, at the behest of Home Ministry: Saurabh Bharadwaj, AAP pic.twitter.com/I5ZMEOvzAc
AAPએ દિલ્હી પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. AAPના નેતા સૌરભે જણાવ્યું કે સોમવારે ધારાસભ્યોની સીએમ કોજરીવાલ સાથે બેઠક હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે જ્યારે પાર્ટીના ધારાસભ્યોએ સીએમ સાથે મુલાકાત કરવાનો પ્રયોસ કર્યો તો પોલીસે તેમની સાથે મારપીટ કરી હતી. પાર્ટીના કાર્યકર્તાઓને સીએમ કેજરીવાલને નહોંતા મળવા દીધા. ત્યારે ભાજપના નેતાઓને સીએમ આવાસની બહાર બેસાડવામાં આવી રહ્યા છે.
દરેક શક્ય મદદ કરવાનો ભરોસો આપ્યો હતો
ઉલ્લેખનીય છે કે સોમવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અહીં ખેડૂતોની મુલાકાત કરી ખેડૂતો માટે જે વ્યવસ્થા કરવામાં આવી છે તેનું નિરિક્ષણ કર્યુ હતું અને દરેક શક્ય મદદ કરવાનો ભરોસો આપ્યો હતો. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અહીં ખેડૂતોને મળ્યા બાદ કહ્યું હતું કે ખેડૂતોને જે સેવા મળી રહી છે અમે તેનું નિરિક્ષણ કરવા આવ્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે તેઓ દેશ માટે બેઠા છે. જો કોઈ ખેડૂતને કોઈ સમસ્યા હોય તો દેશની તમામ પાર્ટીને સપોર્ટ કરવો જોઈએ. નોંધનીય છે કે આ પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ સિંધુ બોર્ડર પર આવ્યા હતા અને ખેડૂતોની મુલાકાત કરી હતી. આમ આદમી પાર્ટી જાહેરાત કરી ચૂકી છે કે તે તે ખેડૂતો દ્વારા અપાયેલા ભારત બંધના એલાનનું સમર્થન કરી રહી છે.