બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કનારા ગામના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જે ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ટીમ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી.
યુવાનની કરાઈ હત્યા
મળતી માહિતી મુજબ બોટાદ જિલ્લાના રાણપુરના કનારા ગામે રહેતા કાના જોગરાણા તેઓ ગામના બસ સ્ટેશન પાસે ઉભા હતા તે દરમ્યાન કોઈ શખ્સો દ્વારા યુવાનને છરીના ઘા ઝીકાતા યુવાનને તાત્કાલિક સારવાર માટે બોટાદ સબિહા હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન યુવાને મોત થયું હતું. મૃતદેહને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવાનના પરિવાર અને સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પીઆઈ ટી એસ રીઝવી સહિત પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પોલીસે હાથ ધરી તપાસ
સમગ્ર હત્યા બાબતે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યો છે. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં પીઆઈ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાય હાથ ધરી અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે