આસામના કરીમગંજમાં ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો. જે અકસ્માતમાં કુલ 10 લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે.
આસામમાં સર્જાયો ગંભીર અકસ્માત
અકસ્માતમાં 10 લોકોના કરૂણ મોત
ટ્રક અને રીક્ષા વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત
આસામના કરીમગંજમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. જેમા 10 લોકોના કરૂણ મોત થયા હોવાનું સામે આવ્યું છે. રીક્ષા અને ટ્રક ધડકાભેર એકબીજા સાથે અથડાયા જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે લોકો છઠ પુજા કરીને પરત આવી રહ્યા હતા. ઘટના બાદ સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું સાથેજ અસમ અને ત્રિપુરા રોડ પર બંધ કરી દીધો છે.
ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોચી હતી
જે લોકોના આ અકસ્માતમાં મોત થયા છે તેઓ ચા ના બગીચામાં કામ કરતા હતા. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું કે ટ્રકમાં સીમેન્ટની થેલીઓ હતી અને ટ્રક ઘણી ઝડપથી આવી રહી હતી. ઘટનાની જાણ થતાજ પોલીસ પણ સ્થળ પર પહોચી હતી. જ્યા સ્થળ પર પહોચીને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ટ્રક ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું
જાણવા મળ્યું છે કે ટ્રકની સ્પીડ ખૂબ જ વધારે હતી જેના કારણે રિક્ષા બેઠેલા વ્યક્તિઓના મોત થઈ ગયા. અકસ્માતની જાણકારી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે વાહનોની ટક્કર બાદ 9 લોકોએ ઘટનાસ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો ત્યારે અન્ય 1 વ્યક્તિએ હોસ્પિટલમાં જીવ ગુમાવ્યો હતો.
મૃતકો છઠ પુજા કરી ઘરે આવી રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસે કહ્યું કે દુર્ઘટનામાં મોટા ભાગના મૃતકો બાળકો અને મહિલાઓ છે જે છઠ પૂજા કર્યા બાદ રિક્ષામાં ઘરે જઈ રહ્યા હતા. સામેથી આવી રહેલા ટ્રકે રિક્ષાને ટક્કર મારી અને લોકોએ જીવ ગુમાવ્યા હતા. મરનાર લોકોમાં ત્રણ પુરુષ, પાંચ મહિલા અને બે બાળકો સામેલ છે.