દારુની લત છોડાવનાર દવા ડાઈસલફિરામનો ઉપયોગ સાર્સ કોવ-2થી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે. આ જાણકારી નવા રિસર્ચમાં સામે આવી છે. જેનાથી વૈજ્ઞાનિકોમાં વધું એક આશાની કિરણ જોવા મળી છે.
ઘણીવાર જે દવા અસરકારસ સાબિત થાય છે તે બીજામાં નથી થતી
અવરોધ શરીરની અંદર વાયરસને નબળો બનાવવા અથવા રોકવામાં મદદરુપ છે
ડાઈસલફિરામ સાર્સ કોવ -2 થી બે રીતે લડી શકાય છે
રુસમાં નેશનલ રિસર્ચ યૂનિવર્સિટી હાયર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ(એચએસઈ)ના અનુસંધાનકર્તાઓએ જોયું કે શક્ય સારવાર કરવા કોરોનાની સંરચનાત્મક તત્વોની પસંદગી કરવી જોઈએ. જેમાં વિકાસ દરમિયાન પરિવર્તનની શક્યતા હોય.
તેમણે કહ્યું કે આવુ ન કરવા પર એક પ્રકાર(સ્ટ્રેન)ની વિરુદ્ધ જે દવા અસરકારસ સાબિત થાય છે તે બીજામાં નથી થતી. મેંદિલિવ કમ્યુનિકેશન્સ પત્રિકામાં છપાયેલા અધ્યયન મુજબ સાર્સ કોવ-2 વાયરસના મુખ્ય પ્રોટીજ એમ પ્રો સૈથી પ્રભાવશાળી પ્રોટીન છે.
અનુસંધાનકર્તાઓએ જણાવ્યું કે ઉત્પરિવર્તન પ્રતિરોધી હોવાને કારણે એમ પ્રો કોરોના વાયરસને રોકવામાં મોટી ભૂમિકા ભજવે છે. જેનો મતલબ છે કે આ અવરોધ શરીરની અંદર વાયરસને નબળો બનાવવા અથવા રોકવામાં મદદરુપ થાય છે.
શક્ય દવાઓમાં અમેરિકન ખાધ્ય તથા દવા પ્રશાસન(એડીએ) તરફથી મંજુર દવાઓના ડેટાબેસમાંથી લેવામાં આવ્યો છે. અનુસંધાનકર્તાઓએ જણાવ્યું કે દારુની લત છોડાવનારા દવા ડાઈસલફિરામ સાર્સ કોવ -2 થી બે રીતે લડી શકાય છે. પહેલુ એ કે આ સહ અવરોધક છે અને બીજુ કોરોના ના લક્ષણોને રોકે છે. જે રીતે તે ઘટેલા ગ્લૂટાથિયોનને રોકવામાં ઘણી મદદ કરે છે જે એક મહત્વપૂર્ણ એન્ટી ઓક્સિડેન્ટ છે.