સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ગુજરાત મુલાકાતે છે. ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને અખિલેશ યાદવ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. ત્યારે આગામી 2024 લોકસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
2024 લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતથી મોટા અપડેટ
સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ ગુજરાતની મુલાકાતે
અખિલેશ યાદવે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા સાથે કરી ગુપ્ત બેઠક
આગામી સમયમાં આવી રહેલી 2024 ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ હાલમાં ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગુજરાતની પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ અખિલેશ યાદવ સાથે ગુપ્ત મુલાકાત કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે. બંધ બારણે અખિલેશ યાદવ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે બેઠક યોજાયા બાદ અખિલેશ યાદવ યુપી જવા રવાના થયા હતા. ત્યારે શંકરસિંહ વાઘેલા અને અખિલેશ યાદવ વચ્ચે યોજાયેલ બેઠકમાં રાજકીય ચર્ચાઓ પણ થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
લોકશાહીમાં ED એ પરીક્ષા છે - અખિલેશ
સપા નેતા અખિલેશ યાદવ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે અમદાવાદમાં અખિલેશ યાદવનાં કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. જેમાં અખિલેશ યાદવે જણાવ્યું હતું કે લોકશાહીમાં ED એ પરીક્ષા છે. તમારે આ પરીક્ષામાંથી પસાર થવું પડશે. તેમજ ભાજપ કોંગ્રેસના માર્ગે ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી કોઈ નવું કામ નથી કરી રહી.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) March 11, 2023
શંકરસિંહ વાઘેલા અને વડાપ્રધાન વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય બેઠક ચાલી
ત્રણ દિવસ પહેલા શંકરસિંહ વાઘેલા સાથે પણ વડાપ્રધાને બેઠક યોજી હતી. ગુજરાત આવ્યા બાદ સૌ પ્રથમ તેઓએ શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે 50 મિનિટથી પણ વધુ સમય બેઠક ચાલી હતી. ત્યારે બંને વચ્ચે ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ત્યારે આ બાબતે શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આ એક ઔપચારિક મુલાકાત હતી. તેમજ તેઓનાં પુત્રના લગ્ન હોવાથી આમંત્રણ આપ્યું હતું. શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનનાં હિરા બા સાથેનાં એક ફોટો ભેટ આપ્યો
બુધવારના રાત્રે ગુજરાત આવ્યા બાદ વડાપ્રધાન રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેઓને મળવા માટે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ પહોંચ્યા હતા. ત્યારે વડાપ્રધાન અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક કલાક સુધી લાંબી બેઠક ચાલી હતી. જેમાં વડાપ્રધાને તેમજ શંકરસિંહ વાઘેલાએ જુની વાતો થોડી તાજી કરી હતી. તેમજ શંકરસિંહ વાઘેલાએ વડાપ્રધાનને હિરા બા સાથેનાં એક ફોટાને ગોલ્ડ ફ્રેમમાં વડાપ્રધાનને ભેટ આપ્યો હતો. ત્યારે શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહનાં લગ્નનનો પ્રસંગ હોઈ વડાપ્રધાનને આમંત્રણ પત્રિકા આપી હતી. તેમજ પીએમને હાજર રહેવાનો આગ્રહ કર્યો હતો. તેમજ જૂની રાજકીય પરિસ્થિતિ અને અત્યારનુ પરિસ્થિતિની સામાન્ય ચર્ચા કર્યા બાદ તેઓ પોતાનાં ઘરે જવા નીકળ્યા હતા.