રાજકોટના કુવાડવા રોડ પાસે ઝૂંપડાઓમાં આગ લાગતા 3 બાળકીઓ દાઝી છે જ્યારે એકનું દાઝી જવાથી કરુણ મોત છે દુર્ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો છે
કુવાડવા રોડ ઉપર ઝૂંપડાઓમાં આગ
આગમાં દાઝેલી 3 બાળકીઓ પૈકી એકનું મોત
અન્ય ઈજાગ્રસ્ત બાળકીઓની સારવાર હેઠળ
રાજકોટના કુવાડવા રોડ પાસે ઝૂંપડાઓમાં આગ લાગતા 3 બાળકીઓ દાઝી છે જ્યારે એકનું દાઝી જવાથી કરુણ મોત નિપજ્યું છે દુર્ઘટનાને પગલે પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે લાઈટ ન હોવાથી પેટ્રોલની બોટલ શોધવા જતા પિતાએ દીવાસળી સળગાવતા જ આગ લાગી હતી અને જોતજોતામાં આગ પ્રસરી ગઈ હતી.
આગમાં દાઝેલી 3 બાળકીઓ પૈકી એકનું મોત
રાજકોટના કુવાડવા રોડ ઉપર ઝૂંપડાઓમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતા ફાયર વિભાગને કાફલો આવી પહોંચ્યો હતો અને ભારે પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની દુર્ઘટનામાં ત્રણ બાળકીઓ દાઝી જતા તેમને સારવાર અર્થ ખસેડવામાં આવી હતી જ્યારે એક બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
અન્ય ઈજાગ્રસ્ત બાળકીઓની સારવાર હેઠળ
મહત્વનું છે ઝૂંપડામાં આગ કેવી રીતે લાગી તે અંગે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાઈટ ન હોવાથી ઝૂંપડામાં રહેતા પિતા જ્યારે પેટ્રોલની બોટલ શોધવા માટે દીવાસળી સળગાવી હતી તે દરમિયાન અચાનક આગ પ્રસરી ગઈ હતી. આગના કારણે આસપાસના લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તુરંત ફાયર વિભાગને કરાત ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ ઘટનામાં એક પરિવારની ત્રણ દીકરીઓ પૈકી એક દીકરીનું આગમાં દાઝી જવાથી કરુણ મોત છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.