ઉત્તરાખંડમાં સતત છેલ્લા ત્રણ થી ચાર દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે. ત્યારે વધુંમા આજે ભારે વરસાદને કારણે જાખણ નદી પર પુલ ધ્વસ્ત થઈ ગયો છે. ભૂસ્ખલન અને રોડ તૂટવાને કારણે શહેર અને હાઈવેને જોડતા રસ્તાઓ પર સૌથી ગંભીર અસર પડી છે.
પુલ તૂટતા વાહનવ્યવહાર ખોરવાયો
દહેરાદૂનમાં જાખણ નદી પર પુલ તુટવાને કારણે લોકો ફસાઈ ગયા છે. ભારે વરસાદ અને નદીમાં પાણીના વધતા પ્રમાણને લઈને રાનીપોખરી-ઋષિકેશ હાઈવે પર બનેલો પુલ તૂટી ગયો જેના કારણે અમુક કાર અને ટુ વ્હીલર પણ નીચે નદીમાં પડ્યા હતા. પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને હાલ તે રસ્તા પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે.
પોલીસે બહાર ન નીકળવા સલાહ આપી
બીજીતરફ ઋષિકેશ-દેવપ્રયાગ, ઋષિકેશ-ટિહરી અને દહેરાદૂન-મસૂરી રોડ પર ભૂસ્ખલન થયું છે. જેના કારણે ત્યાનો પણ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પણ લોકોને સુચના આપી દેવામાં આવી છે કે હાલ કોઈ પણ આ રસ્તાઓ પર યાત્રા કરવા ન નીકળે.
ટિહરીના બે ગામના રસ્તા પૂરી રીતે સાફ
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે ઋષિકેશ-ગંગોત્રી નેશનલ હાઈવે પણ ક્ષતિગ્રસ્ત થયો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ટિહરીના નરેદ્ન્રનગરમાં આવેલ 2 ગામમાં વરસાદને કારણે રસ્તાઓ પૂરા ધોવાઈ ગયા છે. સાથેજ અહીયા વરસાદ પણ એટલો ધોધમાર પડી રહ્યો છે કે રાહત કાર્ય માટે પણ કોઈ વાહનમ અંદર જઈ શકે તેનું નથી.