અમદાવાદઃ કેશવાનમાંથી રૂપિયા 98 લાખની લૂંટનો મામલે અમદાવાદ ક્રાઈમબ્રાંચે 2 આરોપીઓને ઝડપ્યા છે. ઉત્તરપ્રદેશમાંથી ક્રાઈમબ્રાંચે 2 શખ્સોને ઝડપ્યા છે. જેમાં ઉતરપ્રદેશ પોલીસ અને ક્રાઈમબ્રાંચની સંયુ~ત કામગીરી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું છે સમગ્ર ઘટનાક્રમ?
4 દિવસ પહેલા 23 ફેબ્રુઆરીએ સાંજના સમયે રાજપથ ક્લબ નજીક વસ્ત્રાપુરમાં HDFC બેંકના એટીએમમાં પૈસા ભરવા સીએમએસ ઇન્ફો કંપનીનું કેશ વાન આવેલ હતું. જેમાં કેશવાનનો ડ્રાઇવર સુધીરે સહ કર્મચારીઓ અને ગનમેન સિક્યુરિટીને કેફી પીણું પીવડાવીને બેભાન કરી દીધા હતા. ત્યારબાદ સુધીર ડ્રાઇવર કેશવાનમાં રહેલા 98 લાખ રૂપિયા લઇને નાસી છૂટ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજપથ ક્લબ પાસે 98 લાખની લૂંટ કેસ મામલે પોલીસ તપાસમાં નવો ખુલાસો થયો હતો. લૂંટ સમયે ત્રણેય આરોપી વારંવાર ફોન પર વાતચીત કરતા હતાં. જેને લઇ પોલીસ દ્વારા વિપીન યાદવની પૂછપરછ કરાઇ હતી. વિપીન યાદવ મહેમદાવાદના ખાત્રજનો રહેવાસી છે.
ત્યારબાદ આ મામલે ક્રાઇમબ્રાંચે 2 આરોપીઓને ઝડપ્યા છે. ઘણાં દિવસો બાદ પોલીસ સફળતા તરફ પહોંચી રહી છે. મહત્વનું છે કે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપવા માટે ઈનામ પણ જાહેર કરાયું હતું. આરોપી સુધીર બઘેલ મુકેશ યાદવ અને પુનિત યાદવે ત્રણેય આરોપીની તપાસ તેજ કરી હતી.