દેવતાઓને પણ પરાજિત કરનારો રાવણ મહાપંડિત અને મહાજ્ઞાની હતો. પરંતુ રાવણની સૌથી મોટી કમજોરી એ હતી કે તે પોતાના બળ અને જ્ઞાનના અહંકારમાં પોતાનેજ ભાદવાન માની બેઠો હતો અને ઈશ્વરના બનાવેલા નિયોમોમાં ફેરફાર કરવા માંગતો હતો. જો રાવણ કેટલાક વર્ષ હજુ જીવિત રહેતો તો તેના અધૂરા કામ પૂરા કરી લેતો અને દુનિયા કંઈક અલગ હોત. જાણો તે ક્યા અધૂરા કામ હતા જે રાવણ કર્યા વગર જ મૃત્યુ પામ્યો.....
સ્વર્ગમાં સીડી
રાવણનું સૌથી પહેલું સપનું હતુ સ્વર્ગમાં સીડી બનાવવી. રાવણ ઈચ્છતો હતો કે દરેક વ્યક્તિ સ્વર્ગ જાય માટે તે ધરતીથી લઈ સ્વર્ગ સુધી સીડીયો બનાવવાનું કામ શરૂ કરી ચુક્યો હતો. પરંતુ સીડી બનીને તૈયાર થાય તે પહેલા રાવણ ભગવાન રામના હાથે મૃત્યુ પામ્યો હતો.
સમુદ્રનાં પાણીને મીઠું કરવું
રાવણનું બીજુ સપનું હતુ કે સમુદ્રના પાણીને મીઠું કરવું. રાવણને ખબર હતી કે પૃથ્વી પર પીવાનું પાણી ઓછુ છે. જો સમુદ્રનું પાણી મીઠું થઈ જાય તો પીવાના પાણીની સમસ્યા હંમેશા માટે ખતમ થઈ જાય. આ કામ માટે તે લાગેલો હતો પણ પુરુ થાય તે પહેલા પૃથ્વી પરથી ચાલ્યો ગયો.
સોનામાં સુગંધ ભરવી
રાવણનું ત્રીજું અધૂરું કામ સોનામાં સુગંધ ભરવાનું હતુ. તેનું કારણ એ હતુ કે રાવણ સોનાનો શોખીન હતો માટે તેની આખી નગરી સોનાની બનાવી હતી. રાવણ ઈચ્છતો હતો કે સોનામાં સુગંધ આવી જાય જેનાથી તેને ક્યાય પણ સુગંધ વડે પારખી શકાય અને તેનાથી સોનાને શોધવુ પણ સરળ થઈ જાય.
મદિરાને ગંધહીન બનાવવી
રાવણ જો કેટલાક દિવસ વધુ જીવિત રહ્યો હોત તો મદિરા ગંધહીન બનાવી દેત. રાવણની ચોથી ઈચ્છા હતી કે મદિરામાં કોઈ ગંધ ન હોય જેનાથી દરેક લોકો મદિરાપાનનો આનંદ લઈ શકે.