યુક્રેનના સુમી શહેરમાંથી 694 ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢી લેવાયા હોવાનું કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેર કર્યું છે.
કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીની જાહેરાત
ભારતે યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢી લીધા
694 ભારતીય વિદ્યાર્થીઓ સુમીમાં ફસાયા હતા
રશિયાના હુમલામાં યુક્રેનના સુમી શહેરમાં ફસાયેલા તમામ 694 ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા છે, કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે,તમામ લોકો બસોમાં પોલ્ટાવા જવા રવાના થઈ ગયા છે.
694 Indian students were remaining in Sumy last night, all have now left for Poltava (Ukraine) in buses: Union minister Hardeep Singh Puri
સુમીમાંથી બસમાં બેસાડીને વિદ્યાર્થીઓને પોલ્ટાવા લઈ જવાયા
694 ભારતીય વિદ્યાર્થીઓને સુમીમાંથી બસમાં બેસાડીને પોલ્ટાવા લઈ જવાયા હતા અને ત્યાંથી તેમને ફ્લાઈટ દ્વારા ભારત લવાશે.હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે ગઈકાલે રાત્રે 694 ભારતીય વિદ્યાર્થીઓ સુમીમાં રહ્યા હતા, તમામ હવે બસોમાં બેસીને પોલટાવા (યુક્રેન) જવા રવાના થયા છે. યુક્રેનના અધિકારીઓએ જણાવ્યું હતું કે યુક્રેને મંગળવારે ઉત્તર-પૂર્વીય શહેર સુમી અને રાજધાની કિવ નજીકના ઇરપિન શહેરમાંથી નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. રશિયન અને યુક્રેનિયન સત્તાવાળાઓ રશિયન દળોથી ઘેરાયેલા કેટલાક શહેરો અને નગરોમાંથી નાગરિકોને બહાર નીકળવાની મંજૂરી આપવા માટે "માનવતાવાદી કોરિડોર" સ્થાપિત કરવા સંમત થયા પછી સ્થળાંતર શરૂ થયું હતું.
યુક્રેની શહેર પોલ્ટાવાથી ભારત લવાશે 694 ભારતીયોને
યુક્રેનના સુમીમાંથી 694 ભારતીયોને ખસેડીને યુક્રેનના પશ્મિમી શહેર પોલ્ટાવા લઈ જવાયા છે ત્યાંથી તેમને ભારત લાવવામાં આવશે. જોકે રશિયાએ આ વિસ્તારમાં યુદ્ધવિરામ કર્યો હોવાને કારણે જ ભારત તેના નાગરિકોને અહીંથી લઈ જઈ શક્યું છે અન્યથા આવું ન થઈ શક્યું હોત.
#WATCH | A convoy consisting of 12 buses left from Sumy, Ukraine earlier today. All Indians there have been evacuated. Officials of the Indian Embassy & Red Cross are escorting them. Bangladeshis & Nepalis have also been facilitated. They are currently enroute to Poltava region. pic.twitter.com/0ieUCcjl0S
ભારતીયોને બચાવવા રશિયાએ કર્યો યુદ્ધવિરામ
નવી દિલ્હી સ્થિત રશિયન દૂતાવાસે ટ્વિટ કરીને કહ્યું હતું કે સુમીથી ભારતીય નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે રશિયા ભારતીય સમય અનુસાર બપોરે 13.30 વાગ્યે યુદ્ધવિરામ કરશે, જેથી માનવતાવાદી કોરિડોર બનાવી શકાય.