POKમાં આતંકિઓએ તેમના કેમ્પ વધાર્યા હોવાની માહિતી સામે આવી છે. સાથેજ 6 જેટલા આતંકીઓ LOCથી ઘૂસણખોરી કરીને ભારતમાં ઘુસ્યા છે. જેઓ કોઈ મોટો હુમલો કરી શકે છે. તેવી માહિતી પણ સામે આવી છે.
POKમાં આતંકીઓએ કેમ્પ વધાર્યા
LOC પાસે 6 આતંકીઓએ કરી ઘુસણખોરી
આતંકીઓ જમ્મુમાં મોટો હુમલો કરવાની ફિરાકમાં
અફઘાનિસ્તાનમાં તાલિબાને કબ્જો મેળવી લીધા બાદ POKમાં હવે આતંકી કેમ્પ વધતા જઈ રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે ઘણા આતંકી સંગઠનો ભારતમાં આતંકીઓને ઘુસાડવાની ફિરાકમાં છે. સુરત્રા એજન્સીઓને મળેલી જાણકારી પ્રમાણે POKમાં ત્રણ નવા ટેરર કેંપ એક્ટિવ થયા હોવાનું સામે આવ્યું છે.
POKમાં 3 નવા કેમ્પ
અગાઉ POKમાં 17 ટેરર કેમ્પ હતા જેની જગ્યાએ હવે 20 જેટલા કેમ્પો થઈ ગયા છે. જે ભારત માટે એક ચિંતાનો વિષય બન્યો છે. ગત ફેબ્રુઆરીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર થયું હતું ત્યારબાદથી પાકિસ્તાનની ખાનગી એજન્સીઓ આતંકિઓને જમ્મૂમાં ઘુસણકોરી કરવી રહી છે.
ઘુસણખોરી કરનારા આતંકીઓ ટ્રેનિંગ લઈને આવ્યા
ગત 18 અને 19 સપ્ટેમ્બરના રોજ LOC પાસે 6 આતંકીઓએ ઘુસણખોરી કરૂી હોવાની માહિતી સામે આવી છે. જેને લઈને સેના દ્વારા 2 દિવસથી સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. જે આતંકીઓ કાશ્મીરમાં ઘુસ્યા છે તેઓ ટેરર કેમ્પમાંથી ટ્રેનિંગ લઈને કાશ્મીરમાં ઘુસ્યા છે સાથેજ તેઓ મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે તેવી માહિતી સામે આવી છે.
તાલિબાન આતંકીઓને હથિયાર આપે તેવી આશંકા
સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે તાલિબાનના હાથે જે પણ હથિયારો લાગ્યા છે. તે લશ્કર અને જૈશના આતંકીઓને આપવામાં આવી રહ્યા છે. જોકે જમ્મુ પોલીસ પણ સતત એલર્ટ મોડ રહીને આતંકીઓ સામે કાર્યવાહી કરી રહી છે. છેલ્લા અમુક મહિનાથી શ્રીનગર તેમજ આસપાસના વિસ્તારોમાં ઘણી આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે.